National

કોર્ટની પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી થશે નહીં : સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટની પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી થશે નહીં. આ આદેશ રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇન અને જળાશયો પરના અતિક્રમણને લાગુ પડશે નહીં. આ કેસની આગામી સુનાવણી ૧ ઓક્ટોબરે થશે. કોર્ટના આ ર્નિણયને બે વર્ષ પહેલા દિલ્હીમાં બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટમાં પહોંચેલા અરજદારો માટે મોટી જીત તરીકે જાેવામાં આવી રહી છે.

એપ્રિલ ૨૦૨૨ માં, દિલ્હીના જહાંગીરપુરીમાં મોટા પાયે બુલડોઝરની કાર્યવાહી થઈ. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મામલો કોર્ટમાં પહોંચતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ અરજદારોએ કહ્યું કે કોઈને સજા કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં. આ બંધ થવું જાેઈએ. આમાંની એક અરજી પૂર્વ રાજ્યસભા સાંસદ વૃંદા કરાત દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી.

પોતાની અરજીમાં તેમણે એપ્રિલમાં શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ જહાંગીરપુરીમાં કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહીને પડકારી હતી. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સપ્ટેમ્બર ૨૦૨૩માં થઈ હતી. અરજદારો તરફથી હાજર રહેલા વકીલે ગુનાના આરોપીઓના ઘરો તોડવાની કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે ઘરનો અધિકાર એ બંધારણના અનુચ્છેદ ૨૧માં જીવનના અધિકારનું એક પાસું છે. જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેના પુનઃનિર્માણ માટે કોર્ટે આદેશ આપવો જાેઈએ. તાજેતરના વિકાસમાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બુલડોઝરની કાર્યવાહી સામે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાંથી એક ઉદયપુર કેસ સાથે સંબંધિત છે.

બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટમાં જમીયત-ઉલામા-એ-હિંદે કહ્યું કે એપ્રિલ ૨૦૨૨માં રમખાણો પછી, જહાંગીરપુરીમાં ઘણા લોકોના ઘર તોડવામાં આવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓએ રમખાણો ભડક્યા હતા. બુલડોઝર કાર્યવાહીના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે કાર્યવાહી પહેલા નોટિસ મોકલવામાં આવી હતી.

પરંતુ, સંબંધિત વ્યક્તિઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. આ પછી પાલિકાના કાયદા હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેના પર કોર્ટે કહ્યું કે કોઈનું ઘર માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે તેના પર કોઈ ગુનાનો આરોપ છે. ભલે તે ગુનેગાર હોય પણ તેનું ઘર તોડી ન શકાય. કાયદા મુજબ જ મકાન તોડી શકાય. પિતાનો પુત્ર જિદ્દી હોઈ શકે છે પરંતુ જાે તેના આધારે ઘર તોડવામાં આવે તો તે યોગ્ય માર્ગ નથી.