National

કુવૈતના બાયાન પેલેસ ખાતે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા

સ્ મોદીના કુવૈત પ્રવાસનો બીજાે દિવસ

PM  મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજાે દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. પ્રથમ દિવસે તેમણે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઈન્ટરનેટ) છે અને જાે આપણે દુનિયામાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા ઈચ્છીએ તો તેની કિંમત ઘણી ઓછી છે.

 

જાે તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.
વડા પ્રધાને કહ્યું કે હું વિકસિત ભારત ૨૦૪૭ વિશે વાત કરું છું કારણ કે મારા દેશના મજૂર ભાઈઓ જેઓ આટલા દૂરના સ્થળોએ કામ કરવા આવ્યા છે તેઓ પણ વિચારે છે કે તેમના ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બનાવવું. આ આકાંક્ષા મારા દેશની તાકાત છે. હું આખો દિવસ વિચારતો રહું છું કે આપણા ખેડૂતો કેટલી મહેનત કરે છે.

આપણા મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું આ બધા લોકોને મહેનત કરતા જાેઉં છું ત્યારે મને લાગે છે કે જાે તેઓ ૧૦ કલાક કામ કરે છે તો મારે પણ ૧૧ કલાક કામ કરવું જાેઈએ. જાે તેઓ ૧૧ કલાક કામ કરે છે તો મારે પણ ૧૨ કલાક કામ કરવું જાેઈએ અને બીજું તમે તમારા પરિવાર માટે મહેનત કરો છો કે નહીં? હું મારા પરિવાર માટે પણ કામ કરું છું, મારા પરિવારમાં ૧૪૦ કરોડ લોકો છે, તેથી મારે થોડું વધારે કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ માત્ર સારા રસ્તા, સારા એરપોર્ટ, સારા રેલવે સ્ટેશન નથી. હું ઈચ્છું છું કે ગરીબમાં ગરીબના ઘરમાં પણ શૌચાલય હોવું જાેઈએ. અમારું લક્ષ્ય ૧૧ કરોડ શૌચાલય બનાવવાનું છે.

ગરીબોને કાયમી મકાનો હોવા જાેઈએ. અત્યાર સુધીમાં ૪ કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા ૧૫-૧૬ કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે. હું દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મહત્વની બાબત છે ગરીબની ગરિમા અને સન્માન, તેને આ બધું મળવું જાેઈએ. ઁસ્ મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજાે દિવસ છે.

કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. શનિવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે કુવૈત પહોંચ્યા. ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ભારત તરફથી, છેલ્લી વખત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ૪૩ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૧માં કુવૈતની મુલાકાતે ગયા હતા. તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ૨૦૦૯માં પશ્ચિમ એશિયાઈ દેશની મુલાકાત સમયે ત્યાં ગયા હતા.