સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ભાગીદારી પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી. આ પછી તે સ્કેનિંગ માટે પણ ગયો હતો. જાે કે તેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. હવે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી માર્કી ટુર્નામેન્ટમાં તેના રમવા પર શંકા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે. ભારત ૨૦ ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે તેના ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે. આ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ આજે છે.
મ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન મોટાભાગે બુમરાહની હાજરી પર ર્નિભર રહેશે. અત્યાર સુધી બીસીસીઆઈએ બુમરાહની પીઠના ખેંચાણના ગ્રેડ જાહેર કર્યું નથી. જાે બુમરાહની ઈજા ગ્રેડ વન કેટેગરીમાં હોય, તો તેણે રમતમાં પાછા ફરતા પહેલા ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા રિહેબિલિટેશનમાં પસાર કરવા પડશે. ગ્રેડ બેની ઈજામાંથી સાજા થવામાં છ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, જ્યારે ગ્રેડ ત્રણની ઈજા, ગંભીર ગણાય છે, તેને ઓછામાં ઓછા ત્રણ મહિનાના આરામ અને પુનર્વસનની જરૂર છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ‘તે રિહેબ માટે દ્ગઝ્રછ જશે. પ્રારંભિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને ફ્રેક્ચર નથી, પરંતુ તેની પીઠ પર સોજાે છે. તેથી, દ્ગઝ્રછ તેની રિકવરી પર નજર રાખશે અને તે ત્રણ અઠવાડિયા સુધી ત્યાં રહેશે. પરંતુ આ પછી પણ તેણે એક કે બે મેચ રમવી પડશે, પછી ભલે તે તેની મેચ ફિટનેસ ચકાસવા માટે આયોજિત પ્રેક્ટિસ મેચ હોય. ત્રણ અઠવાડિયાનો અર્થ એ છે કે બુમરાહ ગ્રેડ-વનની ઈજાની શ્રેણીમાંથી પસાર થઈ રહ્યો છે.
બીસીસીઆઈ હાલમાં આશા રાખી રહ્યું છે કે બુમરાહ ટૂંક સમયમાં સાજાે થઈ જશે, પરંતુ જ્યાં સુધી તેની પસંદગીનો સંબંધ છે ત્યાં સુધી તે બહુ નિશ્ચિત નથી. તેને અસ્થાયી ટીમમાં સામેલ કરી શકાય છે, પરંતુ અંતિમ ર્નિણય કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવામાં આવશે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ૬ ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાની છે. બુમરાહને આ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.
પસંદગીકારો ચેમ્પિયન્સ ટ્રોફી માટે મજબૂત ભારતીય ટીમની પસંદગી કરવા પર નજર રાખી રહ્યા છે અને બુમરાહ આ ટીમમાં મહત્વની કડી છે. ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની ્૨૦ અને ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણી માટે ભારત આવી રહી છે. t20 શ્રેણી માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.બુમરાહે ૧૫૦થી વધુ ઓવર નાંખી છે. તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની ૧-૩થી હારમાં ૩૨ વિકેટ સાથે તે ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હતો.
૩૦ વર્ષનો આ બોલર ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં કમરમાં ખેંચાણના કારણે બોલિંગ કરી શક્યો ન હતો. તેણે પાંચ મેચોની આ શ્રેણીમાં ૧૫૦થી વધુ ઓવર ફેંકી હતી. બુમરાહને વધુ પડતા કામના બોજને કારણે ઈજા થઈ છે અને મ્ઝ્રઝ્રૈંની મેડિકલ ટીમ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર છે.તે લગભગ નક્કી થઈ ગયું હતું કે બુમરાહ ઈંગ્લેન્ડ સામે દ્વિપક્ષીય t20 આંતરરાષ્ટ્રીય શ્રેણી નહીં રમે કારણ કે આ વર્ષે આ ફોર્મેટની કોઈ મોટી ટુર્નામેન્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને, તે ઇંગ્લેન્ડ સામેની ત્રણમાંથી ઓછામાં ઓછી બે વનડે મેચ રમશે તેવી અપેક્ષા હતી.
જાેકે હવે તેની ઈજાની ગંભીરતા નક્કી કરશે કે તે ઈંગ્લેન્ડ સામે ૫૦ ઓવરના ફોર્મેટમાં રમી શકશે કે નહીં. ભારત ૨૨ જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ્૨૦ સિરીઝ રમશે જ્યારે ર્ંડ્ઢૈં સિરીઝ ૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીની છેલ્લી મેચ ૧૨મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

