શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં ૮ નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ તમામ મૃતદેહો પણ મળી આવ્યા છે. સવારે ૮ વાગ્યાથી નકસલવાદીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.
ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ , સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની બટાલિયન નંબર ૨૨૨ અને ની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન ની ૨૦૨મી બટાલિયન દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયું હતું. હુઈ પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સવારે ૮.૩૦ વાગ્યે શરૂ થયું હતું અને હજુ પણ ઓપરેશન ચાલુ છે.
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. છત્તીસગઢમાં ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીના વિવિધ એન્કાઉન્ટરમાં કુલ ૪૮ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં તાજેતરના એન્કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે.