સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વોન્ટેડ ગેંગસ્ટર જાેગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ ૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ ના રોજ ઇન્ટરપોલ તરફથી જાેગિન્દર વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી, જે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે રેડ નોટિસના આધારે જાેગીન્દરને ફિલિપાઈન્સથી બેંગકોક થઈને દિલ્હી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
જાેગીન્દર વિરુદ્ધ પાનીપતમાં ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો હતો. હરિયાણા પોલીસ તેને હત્યાના કેસમાં શોધી રહી હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દિલ્હી પોલીસ પણ તેને શોધી રહી હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, જાેગીન્દર ગ્યોંગ પર તેના ભાઈ સુરેન્દ્ર ગ્યોંગના મૃત્યુનો બદલો લેવા માટે એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ છે કારણ કે તેને શંકા હતી કે તે વ્યક્તિએ પોલીસને સુરેન્દ્ર ગ્યોંગની વાસ્તવિક ઓળખ અને સ્થાન જાહેર કર્યું હતું. સુરેન્દ્ર ગ્યોંગ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જાેગીન્દર ગ્યોંગનું નામ દિલ્હી અને પંજાબમાં લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી અને ખંડણી માટે અપહરણ સહિતના અનેક ગુનાહિત કેસોમાં સામે આવ્યું છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
તેમજ, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે જાેગિન્દરને ફિલિપાઇન્સ બ્યુરો ઓફ ઇમિગ્રેશન (ઁમ્ૈં) દ્વારા બાકોલોડ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઁમ્ૈંએ જાેગીન્દરના પ્રત્યાર્પણની ભારતની માંગ પર આ કાર્યવાહી કરી હતી. ઁમ્ૈં અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાેગીન્દરની ઓળખ ભારતીય-નેપાળી નાગરિક તરીકે થઈ હતી અને તે અલગતાવાદી આતંકવાદી નેટવર્કનો મુખ્ય સભ્ય હતો.
પોલીસના જણાવ્યા અનુસાર જાેગીન્દરને હરિયાણામાં ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પેરોલ પર હતો ત્યારે તેણે ડિસેમ્બર ૨૦૧૭માં પાણીપતમાં હત્યા કરી હતી અને બાદમાં તે વિદેશ ભાગી ગયો હતો.