National

ઝારખંડમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છેઃ આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી

ઝારખંડ સરકાર દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ કહ્યું હતું કે, તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ને બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. ઝારખંડમાં ૨૦૨૩ સુધી ગુટખા પર પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સાદા મસાલાના નામે પણ તમાકુ વેચાઈ રહી છે. બુધવારથી તે કોઈપણ સંજાેગોમાં વેચાશે નહીં.

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાંચીના એક ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્સરની સમયસર સારવાર કરવી મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં કેન્સરની તપાસ મફતમાં કરવામાં આવશે. ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છે, તેથી હવે રાજ્યમાં સાદા પાન મસાલા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ઇરફાન અન્સારીએ જણાવ્યું હતું કે, કાલથી જાે કોઈ પણ દુકાનમાં ગુટખા વેચાતા જાેવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.