ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે, IMFએ પાકિસ્તાનને ૧ અબજ ડોલરની લોન મંજૂર કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ હાલના સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશ ફરી એકવાર IMF ના દરવાજા પર છે. ભારત સાથેના તણાવ વચ્ચે તેને વધુ લોનની જરૂર છે.
કંગાળ પાકિસ્તાન માટે IMF દ્વારા ૧ બિલિયન ડોલરની લોન મંજૂર કરવામાં આવી છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતે કહ્યું છે કે તે ૈંસ્હ્લ સમક્ષ પાકિસ્તાનના દુષ્કૃત્યોનો પર્દાફાશ કરશે. પરંતુ આ પગલાથી ભારતને શું ફાયદો થવાનો છે? આનાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે? આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFતેના તમામ ૧૯૧ સભ્ય દેશોને ટકાઉ વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ તેમનો મુખ્ય એજન્ડા છે. IMF સભ્ય દેશોને એવી આર્થિક નીતિઓમાં સમર્થન આપે છે જે નાણાકીય સ્થિરતા અને નાણાકીય સહયોગને પ્રોત્સાહન આપે છે. જે ઉત્પાદક ક્ષમતા, રોજગાર સર્જન અને આર્થિક સુખાકારી માટે જરૂરી છે.
પહેલુ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગને પ્રોત્સાહન આપવું. બીજુ છે વેપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું ઉદ્દેશ્ય એ છે કે, સમૃદ્ધિને નુકસાન પહોંચાડતી નીતિઓને દૂર કરો. લોન આપતી વખતે, IMF ક્યારેક કડક શરતો પણ લાદે છે. કર પ્રણાલીમાં સુધારો, સબસિડી ઘટાડવા અને સરકારી ખર્ચ ઘટાડવા જેવી કડક જાેગવાઈઓ પણ કરે છે. એવી પણ જાેગવાઈ છે કે જાે શરતો પૂરી ન થાય તો સભ્ય દેશોને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. IMF કટોકટીગ્રસ્ત દેશોને મુખ્યત્વે ત્રણ ફોર્મેટમાં લોન આપે છે. આ છે ઝડપી નાણાકીય વ્યવસ્થા, વિસ્તૃત ભંડોળ સુવિધા અને સ્ટેન્ડબાય વ્યવસ્થા.
IMF તેના સભ્ય દેશોને તેના પોતાના નિયમો અને શરતો અનુસાર જરૂર પડે ત્યારે લોન આપતું રહે છે. આ યાદીમાં કેટલાક મુખ્ય અને મોટા દેવાદાર દેશો આજેર્ન્ટિના, યુક્રેન, ઇજિપ્ત, પાકિસ્તાન, ઇક્વાડોર, કોલંબિયા, અંગોલા, કેન્યા, બાંગ્લાદેશ વગેરે છે. આ દેશોમાં, આજેર્ન્ટિનાએ સૌથી વધુ ઇં૪૦.૯ બિલિયનની લોન લીધી છે. જ્યારે બાંગ્લાદેશે સૌથી ઓછી ઇં૨.૬૯ બિલિયનની લોન લીધી છે.

