પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકા ના સહયોગ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ
દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રા લી.મોભી ધીરૂભાઇ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકા ના સહયોગ થી સરકારી શાળા ઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ઓને નોટબુક ચોપડા થેલા વિતરણ નો શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે થી પ્રારંભ કરાયો દામનગર શહેર ની સરકારી શાળા ઓમાં વિદ્યા અભ્યાસ કરતા બાળકો ને ફૂલસ્કેપ ચોપડા નોટબુક થેલા વિતરણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ભરતભાઈ ભટ્ટ રાજેશ કનાડીયા વસંતભાઈ ડોબરીયા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ જ્યંતીભાઈ નારોલા મનસુખભાઇ નારોલા રજનીભાઇ ધોળકિયા રાજેશભાઈ મસરાણી દીપકભાઈ રાવળ કોશિકભાઈ બોરીચા અશ્વિનભાઈ જોશી લાભુભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા બુધાભાઈ વનરા રામભાઈ પરમાર સહિત ની ટીમ દ્વારા વિદ્યાર્થી ઓને નોટબુક ચોપડા થેલા વિતરણ નો પ્રારંભ કરાયો હતો આ તકે ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રા લી ના મોભી ધીરૂભાઇ નારોલા સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું
“યુવાની માં જ્ઞાન નો છોડ નહિ વાવો તો ઘડપણ માં છાયો મળશે નહીં” પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માગુંકિયા એ જણાવ્યું હતું કે વિદ્યા રૂપી ઘન કોઈ ચોરી કરી શકતું નથી કે ભાયું ભાગ પણ પડાવી શકતા નથી અન્નદાન થી પણ ચડિયાતું દાન વિદ્યા દાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ આહવા ડાંગ અરવલ્લી તેવા અંતરયાળ વિસ્તારો માં પણ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા અવિરત શિક્ષણ માટે થેલા નોટબુક ચોપડા વિતરણ અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે આજે દામનગર શહેર ની તમામ સરકારી શાળા ઓમાં શિક્ષણ સત્ર ના પ્રારંભે જ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો ની સેવા એ નોટબુક ચોપડા થેલા વિતરણ નો પ્રારંભ કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા