દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો આત્મશાંતિ માટે દુવા કરી
દામનગર શહેર ના સમસ્ત મુસ્લિમ સમાજે જુમ્મા ની નમાઝ બાદ મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો ને શ્રધાંજલિ આપી જુમ્મા મસ્જિદ ખાતે થી પ્રસ્થાન થયેલ મૌન રેલી શહેર ના મુખ્ય માર્ગો થી સરદાર ચોક થી મોટાપીર ની દરગાહ ખાતે પહોંચી હતી જ્યાં શહેર ભર ના મુસ્લિમ સમાજે અમદાવાદ પ્લેન ક્રેશ ની દુઃખદ ઘટના માં મૃત્યુ પામેલ મુસાફરો અને તબીબી શિક્ષણ મેળવતા જે બી ડેન્ટલ કોલેજ ના છાત્રો ને શ્રધાંજલિ આપી દુવા કરી હતી પ્લેકાર્ડ દ્વારા મૃતકો ને મૌન રેલી યોજી શ્રધાંજલિ આપી હતી જેમાં ખૂબ મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા





