Gujarat

51 મણ લીલો ચારો રખડતી ગાયોને આપી જીવદયાનું કાર્ય કર્યું

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે માંડવી જી.ટી. હાઈસ્કૂલના 1995 બેચના મિત્રોએ જીવદયાનું કાર્ય કર્યું છે.

મિત્ર મંડળના ફંડમાંથી રખડતી ગાયો માટે 51 મણ લીલા ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સેવા કાર્યમાં દર્શન ઓઝા, સંજય મારાજ, ચંદ્રેશ માલમ, નિખિલ વાસાણી, રમેશ વેકરીયા, હર્ષદ સોમેથા, શિવજી વેકરીયા, સાગર ભાનુશાલી અને જયેશ ભાનુશાલીએ જહેમત ઉઠાવી હતી. છકડા ચાલક બાપુએ પણ વિના નફે સેવા આપી હતી.

આ મિત્ર મંડળ સામાજિક કાર્યોમાં સક્રિય રહે છે. તેઓ શ્વાન માટે લાપશી વિતરણ, જરૂરિયાતમંદોને કિટ વિતરણ અને તબીબી સહાય જેવા સેવા કાર્યો પણ કરે છે.

મંડળના સભ્યો દેશ અને સમાજ માટે હંમેશા તત્પર રહે છે અને સુખ-દુઃખના પ્રસંગોમાં એકબીજાને સાથ આપે છે.