Gujarat

ખાંડીવાવ ગામે મકાન ઉપર વૃક્ષ પડતાં 7નો બચાવ થયો

જાંબુઘોડામાં શનિવારે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા બસ સ્ટેન્ડ પાસે રહેતા ચંદુભાઈ મગનભાઈ બારીયા તથા પરેશભાઈના મકાન પર ઝાડ પડતા 7 વ્યક્તિનો બચાવ થવા પામ્યો હતો. આ સાતેય વરસાદ તથા વાવાઝોડાથી બચવા આ મકાનમાં આશરો લીધો હતો.

આ અંગેની જાણ ખાડીવાવ સરપંચ શંકરભાઈ તથા તા. પં.ના પૂર્વ પ્રમુખ કવિતાબેનને થતાં તેઓ સ્થળ પર આવી જેસીબી મંગાવી ઘર પરથી ઝાડને હટાવી વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. ખાંડીવાવમાં જોખમી ડાળીઓ કાપવામાં જેસીબી તથા મજૂરો સાથે કામે લાગ્યા હતા.

જ્યારે જાંબુઘોડા બોડેલી રોડ ઉપર કેટલાય ઝાડ તૂટી પડતા રસ્તાઓ 2થી 3 કલાક બંધ રહ્યા હતા. પોલીસ તથા ફોરેસ્ટ ખાતાએ વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.