ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી બનેલા લાખાણી સરોવર અને કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો.
રાજકોટ સામાન્ય રીતે ૪ થી ૫ વખત વરસાદ થાય ત્યારે જમીનના તળમાં પાણી આવ્યું હોય છે,પણ રાજકોટ શહેરમાં કુદરતી પાણીના સ્ત્રોતમાં દબાણ થવાથી જમીનમાં પાણી ઉતરતું બંધ થઈ ગયેલ છે, ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી હરીશભાઈ લાખાણી પરિવાર દ્વારા લાખાણી સરોવર અને બાબુ લાઈમ ગૃપ (લુણાગરીયા) પરિવાર દ્વારા કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવર ફલો થઈ ગયેલ છે, જેનાથી આજુબાજુના તળમાં પાણીના લેવલ ઊંચા આવી જશે દરેક લોકો પોતાના આર્થિક સહયોગથી વરસાદી પાણીનું જતન કરવા માટે ચેકડેમ ઉંડા,ઊંચા રીપેરીંગ તેમજ નવા બનાવે તેમજ બોર રીચાર્જ કરે તો દરેકનો પાણી પ્રશ્ન હલ થાય જેનાથી જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવજાત સાથે દેશને આર્થિક સ્મૃધિમાં ખુબ મોટો વધારો થાશે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૭૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા), વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા