ગિરગઢડા
ભરત ગંગદેવ..
” પુરી નદી હમારે પાસ હૈ ફિરભી એક પાણીકી બુદ હમારી પ્યાસ હૈ”
ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના છાછર ગામે 2018/19 વાસમો માં મંજુર થયેલ ” નલ સે જલ” હાલ તો પાણીમાં ડૂબી હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા ” નલ સે જલ” યોજના ની કામગીરી પુરજોસ માં આખા ગુજરાત માં શુરું છે. અહીંયા આપડે વાત કરવી છે કોડીનાર તાલુકાના છાછર ગામની કોડીનાર થી 14. કી. મી. દૂર શિંગવડા નદીના કાંઠે આવેલું રૂડું ગામ એટલે છાછર.છાછર ગામની મદય માંથી શિંગવડા નદી વહીરહી છે નદીના બન્ને કિનારા પર ગામનો વસવાટ છે. જ્યાં સરકાર શ્રી દ્વારા વાસમો પ્રોજેકટ અંતર્ગત આ ગામની પસંદગી થઈ સરકાર શ્રી દ્વારા માતબર 43.લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા. કોઈ કંપની ને ટેન્ડર આપણું કંપની એ કામશરું કર્યું સ્ટેન્ડ ગોઢવી દીધા. અને ગામ લોકોને કહેવામાં આવ્યું ટુક સમય માં તમારા ધારે નલ દ્વારા પાણી આપીશું. તે વાત ને ખાશો સમય વ્યોગયો પરંતુ ” નલ સે જલ” આજ સુધી દેખાયું નહિ છાછર ગામ ના લોકો છેલ્લા બે વર્ષ થી ધરે ધરે નળ જોડાણ ની રાહ જોઈ રહ્યા છે. છાછર ગામના લોકો ના મુખે એકજ પ્રસન્ન છે કે 43.લાખ રૂપિયા નો જે ખર્ચ સરકાર દ્વારા પ્રજા ની સુખાકારી માટે કરવામાં આવ્યો છે તો નળ ધરે કેમના પહોંચી યા.અમે ક્યારે પાણી ભેગા થશું. હાલ તો ગામની બહેનો/ દીકરીઓ. બેડાં માથે રાખીને દૂરદૂર સુધી પાણી માટે વલખા મારેશે.
ગીર સોમનાથ જિલ્લા ના અધિકારીઓ. યા પદાધિકારી ઓ ને સોમનાથ દાદા કંઈક પેરણા આપે અને એ અમારી વારે આવે તો ગામ વાંચી ઓ ને ” નલ સે જલ ” મળે ….


