શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૬૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી….
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૬૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત ૫૧૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી રાઘવજીભાઈ ઝવેરભાઈ પટેલ તથા ૫૧૩ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી લલીતાબેન હિંમતલાલ બગડીયા ના સહયોગથી તારીખ ૨૭ જૂનના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની આ તપાસ ડોક્ટર શ્રી રોનકભાઈ પટેલની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને પરિસરમાં ડો.મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ૧૯ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૯ સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરો એ સેવા આપી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




