National

કર્ણાટક-કેરળ બોર્ડર પર KSRTC બસ બ્રેક ફેલ થતાં પેસેન્જર શેલ્ટર સાથે અથડાઈ, ૬ લોકોના મોત

ગુરુવારે (૨૮ ઓગસ્ટ) કર્ણાટક-કેરળ સરહદ પર આવેલા તાલાપડી નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જ્યારે કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી KSRTC બસ બ્રેક ફેલ થઈ ગઈ અને બસ શેલ્ટર અને ઓટો-રિક્ષા સાથે અથડાઈ. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ લોકોના મોત થયા અને સાત અન્ય ઘાયલ થયા.

મૃતકોમાં પાંચ પુખ્ત વયના લોકો અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. ચાર પુખ્ત વયના લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતમાં ઓટો-રિક્ષાનો ડ્રાઈવર પણ સામેલ હતો. આ અકસ્માત બપોરે ૧:૧૫ વાગ્યાની આસપાસ થયો હતો, અને ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાસરગોડના થલપડીમાં કર્ણાટક ઇ્ઝ્ર બસ વેઈટિંગ શેડ અને ઓટો-રિક્ષા સાથે અથડાતા છ લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં ઓટોરિક્ષા ડ્રાઈવર અને વાહનની અંદરના મુસાફરોનો સમાવેશ થાય છે. બસ સ્ટોપ પર રાહ જાેઈ રહેલા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે, જ્યારે અકસ્માતમાં ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. આ દુ:ખદ ઘટના ગુરુવારે બપોરે બની હતી. મંજેશ્વરના ધારાસભ્ય અશરફના જણાવ્યા અનુસાર, બસ મેંગલુરુથી કાસરગોડ જઈ રહી હતી.

બ્રેક ફેલ થવાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે અધિકારીઓ પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. બસની તપાસ હાલમાં દ્ભજીઇ્ઝ્ર અને ટ્રાફિક અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેથી કોઈ યાંત્રિક ખામીનું મૂલ્યાંકન કરી શકાય અને જાળવણીના ધોરણોનું મૂલ્યાંકન કરી શકાય.

KSRTC અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ અને બચાવ ટીમોએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને પીડિતોના પરિવારોને ટેકો આપવા માટે સંકલિત પ્રયાસો કર્યા હતા. આ ઘટનાએ ભારે ટ્રાફિકવાળા આ કોરિડોર પર વાહન સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.