National

મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે ?૩૧,૬૨૮ કરોડના વળતર પેકેજની જાહેરાત કરી

મહારાષ્ટ્ર સરકારે તાજેતરના વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે ?૩૧,૬૨૮ કરોડના વળતર પેકેજની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પૂરથી નુકસાન પામેલી ખેતીની જમીનના દરેક હેક્ટર દીઠ રોજગાર ગેરંટી યોજના હેઠળ સરકાર ?૪૭,૦૦૦ રોકડ અને ?૩ લાખ સહાય સ્વરૂપે આપશે.

પશુધનના નુકસાન અંગે, ખેડૂતોને પ્રતિ પશુ ?૩૨,૦૦૦ મળશે, એમ તેમણે સાપ્તાહિક કેબિનેટ બેઠક પછી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ચોમાસાની શરૂઆતમાં કુલ ૧.૪૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી થઈ હતી, પરંતુ ૬૮ લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું હતું, એમ ફડણવીસે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, માટીનો ઉપરનો સ્તર ધોવાઈ જવાથી ૬૦,૦૦૦ હેક્ટર જેટલી ખેતીની જમીનને નુકસાન થયું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ૩૬ જિલ્લાઓમાંથી ૨૯ જિલ્લાઓ અને ૨૫૩ તાલુકાઓને નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, આ પેકેજમાં પાકના નુકસાન, માટી ધોવાણ, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવા, નજીકના સગાંવહાલાં માટે વળતર, ઘરો, દુકાનો અને ઢોરઢાંખરને થયેલા નુકસાન વગેરેનો સમાવેશ થાય છે.

વધુમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બધા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ?૧૦,૦૦૦ અને ક્ષતિગ્રસ્ત કૂવા દીઠ ?૩૦,૦૦૦ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા ખેડૂતોને મજબૂત બનાવવાની છે જેથી તેઓ આગામી રવિ પાક માટે તૈયાર રહે, તેમણે ઉમેર્યું હતું કે, વળતર સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઉપરાંત, પાક વીમો ધરાવતા ૪૫ લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર ?૧૭,૦૦૦ વીમાના પૈસા મળશે, એમ તેમણે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ખેડૂતોએ આશા ન ગુમાવવી જાેઈએ, અને સરકાર ખાતરી કરશે કે તેઓ “અંધારી દિવાળી”નો સામનો ન કરે.