National

અમૃતસર: પંજાબના સરહિંદ સ્ટેશન પર ગરીબ રથ એક્સપ્રેસમાં આગ લાગી, કોચ બળીને ખાખ

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ ૭:૩૦ વાગ્યે સરહિંદ રેલ્વે સ્ટેશન નજીક અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૨૨૦૪) ના એક એસી કોચમાં આગ લાગી હતી. ઘટના સમયે ટ્રેન અમૃતસરથી જઈ રહી હતી.

મુસાફરોને ચેતવણી આપવામાં આવી હતી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

સરકારી રેલ્વે પોલીસ ના અધિકારીના જણાવ્યા અનુસાર, કોચ ય્-૧૯ માં ધુમાડો જાેવા મળ્યો હતો. એક મુસાફરે ટ્રેન રોકવા માટે ઇમરજન્સી ચેઇન ખેંચી હતી. સ્ટોપ પછી, મુસાફરોને અસરગ્રસ્ત કોચમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા હતા.

આગે ય્-૧૯ કોચને ઘેરી લીધો હતો અને બાજુના બે કોચને પણ થોડી અસર કરી હતી. ય્ઇઁ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ કોચને બાકીના ટ્રેનથી અલગ કરવામાં આવ્યા હતા, અને આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ફાયર ટેન્ડર બોલાવવામાં આવ્યા હતા.

એક વ્યક્તિ ઘાયલ

રેલ્વે બોર્ડે પુષ્ટિ આપી છે કે એક વ્યક્તિને નાની ઇજાઓ થઈ છે. જીઆરપી સરહિંદના સ્ટેશન હાઉસ ઓફિસર રતન લાલે જણાવ્યું હતું કે ૩૨ વર્ષીય મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે ફતેહગઢ સાહિબની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ટ્રેન ટૂંક સમયમાં ફરી શરૂ થશે

અધિકારીઓએ ખાતરી આપી હતી કે આગ ઓલવાઈ ગયા પછી અને સલામતી તપાસ પૂર્ણ થયા પછી, ટ્રેન તેના ગંતવ્ય સ્થાન પર ફરી શરૂ થશે.