Gujarat

ગીતા વંદના: ચિન્મય મિશનનાં ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી

 ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જાેડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર

 અમદાવાદના સેટેલાઇટના રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો

જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરનાં ૩૫૦થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે.

વેદ, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનને સરળ અને સ્પષ્ટ રૂપે જન-જન સુધી પહોંચાડવા માટે સ્વામી ચિન્મયાનંદજીએ પોતાના જીવનકાળ દરમિયાન ૫૦૦થી વધુ જ્ઞાનયજ્ઞોનું આયોજન કર્યું. આ અમૂલ્ય આધ્યાત્મિક યાત્રાને કૃતજ્ઞતા અર્પણ કરવા ચિન્મય અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો હતો. તેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૭૦૦ શ્લોકોમાંથી અમૃત સમાન પાંચ શ્લોકો — ‘ગીતા પંચામૃત’ને આધાર બનાવી ભાવસભર સંગીતમય નૃત્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવ્યા હતા. આ હૃદયસ્પર્શી પ્રસ્તુતિ દ્વારા ગીતાના શાશ્વત સંદેશને આજના જીવન સાથે જાેડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક ભાવનાનો સુમેળભર્યો સંગમ જાેવા મળશે. આ સાથે ચિન્મય મિશન બાલવિહારનાં બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જે બાળકોમાં સંસ્કાર, ભક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાના વિકાસનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમનું શિખરબિંદુ ગીતા મહાઆરતી, જેમાં દરેક હાજર વ્યક્તિ ભાવપૂર્વક સહભાગી બની હતી. તે સાથે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું શોભાયાત્રા દ્વારા ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૦૦૦થી વધુ લોકો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરાયું હતું, જે સમગ્ર વાતાવરણને દિવ્ય આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બનાવી દિધુ હતું. ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જાેડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર બની રહ્યો છે.