International

ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં: ટ્રમ્પ

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણય અને ટ્રમ્પ દ્વારા ફરીથી નવા ટેરિફની જાહેરાત પછી ભારત-યુએસ ટ્રેડ ડીલ પહેલાની જેમ જ રહેશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ભારત સાથે થનારા કરાર પર કોઈ અસર નહીં થાય. તે પહેલાની જેમ જ આગળ વધશે. હકીકતમાં શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણયના ૩ કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભર પર ૧૦% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ એક આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ ૧૦% નો ગ્લોબલ ટેરિફ લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ ટેરિફ પહેલાથી લગાવવામાં આવી રહેલા બેઝલાઇન ટેરિફની ઉપર હશે. એટલે કે જે ટેરિફ અત્યારે લેવામાં આવી રહ્યો છે, તેના સિવાય આ નવો ૧૦% વધારાનો ટેરિફ હશે. જાેકે ભારત સાથેની ડીલમાં આ વધારાનો ટેરિફ શામેલ થશે, કે પછી પહેલાથી નક્કી કરાયેલા ૧૮% માં જ એડજસ્ટ કરવામાં આવશે. આ અંગે ટ્રમ્પે કોઈ નિવેદન આપ્યું નથી.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા સાથે ‘વચગાળાનો વેપાર કરાર‘ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફાઇનલ થઈ જશે. માર્ચમાં તેના પર હસ્તાક્ષર થશે, જ્યારે એપ્રિલથી આ કરાર સંપૂર્ણપણે લાગુ થઈ જશે.

આ સાથે જ ભારત આવનારા કેટલાક મહિનાઓમાં દુનિયાના મોટા દેશો સાથે વ્યાપારિક કરારો પર અંતિમ મહોર મારશે. એપ્રિલમાં બ્રિટન અને ઓમાન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શરૂ થવાની અપેક્ષા છે. ૨૩ ફેબ્રુઆરીથી ભારત અને અમેરિકાના અધિકારીઓ અમેરિકામાં ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકનો હેતુ ૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા ‘જાેઈન્ટ સ્ટેટમેન્ટ‘ના આધારે કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે. વાણિજ્ય મંત્રાલયના ચીફ નેગોશિયેટર દર્પણ જૈન ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કરશે. આશા છે કે ટેક્સમાં ૨૫% થી ૧૮% ઘટાડવાનો સત્તાવાર આદેશ આ અઠવાડિયે અથવા આવતા અઠવાડિયા સુધીમાં આવી જશે. આનાથી ભારતના કાપડ, ચામડા અને જેમ્સ-જ્વેલરી જેવા સેક્ટરને સીધો ફાયદો થશે.

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ૭ ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા સાથેની વેપાર સમજૂતી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય કૃષિ ઉત્પાદનો અમેરિકામાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતમાં કોઈ ટેરિફ છૂટ આપવામાં આવી નથી. પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ સમજૂતીમાં જેનેટિકલી મોડિફાઇડ (ય્સ્) ફૂડને ભારતમાં પ્રવેશની મંજૂરી મળી નથી. તેમણે કહ્યું- આ સમજૂતી ભારતીય નિકાસકારો માટે ૩૦ ટ્રિલિયન ડોલર (લગભગ ૨૭.૧૮ લાખ કરોડ રૂપિયા) ના બજારને ખોલશે. આ ઉપરાંત, ભારતે આગામી ૫ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦ હજાર કરોડ ડોલર (૪૫ લાખ ૩૦ હજાર કરોડ રૂપિયા)ના ઉત્પાદનો ખરીદવા સંમતિ દર્શાવી છે. ભારત અને અમેરિકાએ શુક્રવારે વચગાળાના વેપાર કરાર (ૈં્છ)નું માળખું બહાર પાડ્યું છે.આ અંતર્ગત, ભારતીય માલસામાન પર અમેરિકાનો ટેક્સ ૫૦% ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો ૨૫% વધારાનો ટેક્સ પણ હટાવી દેવામાં આવ્યો છે. પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશોએ ર્નિણય કર્યો છે કે તેઓ તેના કેટલાક નિયમો નક્કી કરશે, જેથી આ કરારનો લાભ મુખ્યત્વે અમેરિકા અને ભારતને જ મળે, ન કે કોઈ ત્રીજા દેશને. ભારત અને અમેરિકાનો આ વેપાર કરારમાં નોન-ટેરિફ બેરિયર્સને દૂર કરવા પર ખાસ ફોકસ છે. આ અવરોધો ટેરિફ નથી હોતા, પરંતુ વેપારને મુશ્કેલ બનાવે છે.

અમેરિકી મેડિકલ ડિવાઇસ કંપનીઓને ભારતમાં કિંમત નક્કી કરવાના નિયમો, રજિસ્ટ્રેશનમાં વિલંબ જેવી અડચણોનો સામનો કરવો પડી રહ્યો હતો. ભારત-બ્રિટન વચ્ચે ગયા વર્ષે જુલાઈમાં થયેલા હ્લ્છ પછી હવે તેને એપ્રિલથી લાગુ કરી શકાય છે. આનાથી ભારતના ૯૯% ઉત્પાદનોને બ્રિટનમાં ‘ઝીરો ડ્યુટી‘ પર એન્ટ્રી મળશે. બદલામાં ભારત બ્રિટનથી આવતી કારો અને સ્કોચ વ્હિસ્કી પર ટેક્સ ઘટાડશે. ઓમાન સાથે પણ એપ્રિલમાં ડીલ લાગુ થવાની અપેક્ષા છે, જેનાથી ખાડી દેશોમાં ભારતીય સામાનની પહોંચ સરળ બનશે. ઓમાને ભારતના ૯૮% થી વધુ ઉત્પાદનો પર ઝીરો ડ્યુટીની ઓફર કરી છે.