ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા
સવારે 10 વાગ્યે મંદિર બંધ, સાંજે 8 વાગ્યે આરતી બાદ ફરી ખુલ્લું મુકાશે – શ્રદ્ધાળુઓને દર્શન માટે ન આવવા અપીલ કરાઈ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ સ્થિત ખોડિયાર માતાજી ધામ ખાતે આજે ચંદ્રગ્રહણના કારણે મંદિર તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક પરંપરા અને આસ્થા અનુસાર ગ્રહણકાળ દરમિયાન મંદિરના દ્વાર બંધ રાખવામાં આવતા હોવા થી આજે સવારે 10 વાગ્યે મંદિર બંધ કરવામાં આવ્યું હતું.
મંદિર વ્યવસ્થાપન તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે 8 વાગ્યે આરતીના સમય પછી મંદિર ફરીથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.
ખાસ નોંધનીય છે કે 3માર્ચએ પૂનમ હોવાથી સામાન્ય રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે. જોકે, ચંદ્રગ્રહણના પ્રસંગે અનાવશ્યક ભીડ એકત્ર ન થાય અને ધાર્મિક નિયમોનું પાલન થાય તે માટે મંદિર સંચાલન સમિતિ દ્વારા ભક્તોને આજે મંદિરે ન આવવા અપીલ કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ ગગજીભાઈએ જણાવ્યું હતું કે ભક્તોએ ગ્રહણકાળ દરમિયાન મંદિર પ્રાંગણમાં ઉપસ્થિત ન રહેવું અને ગ્રહણ પૂર્ણ થયા બાદ તથા સાંજની આરતી પછી જ દર્શનાર્થે આવવું.
હમીરભાઈ નાગજીભાઈ દ્વારા પણ ભક્તોને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને તમામ શ્રદ્ધાળુઓને મંદિર સંચાલનને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.મંદિર સંચાલન સમિતિએ ભક્તજનોને ધર્મપરંપરા જાળવવા, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર






