કોરિયન યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોની બહાદુરી, બલિદાન અને માનવતાવાદી યોગદાનને યોગ્ય અંજલિ
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ અને કોરિયા પ્રજાસત્તાક (ઇર્દ્ભ) ના દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રી શ્રી ક્વોન ઓહ-ઇયુલે ૨૧ મે, ૨૦૨૬ ના રોજ સિઓલના ઇમજિંગાક પાર્ક ખાતે સંયુક્ત રીતે ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરિયન યુદ્ધની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મરણોત્સવના ભાગરૂપે બનાવવામાં આવેલું આ સ્મારક, યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની ૬૦ પેરા ફીલ્ડ એમ્બ્યુલન્સ અને કસ્ટોડિયન ફોર્સ ઓફ ઇન્ડિયા (ઝ્રહ્લૈં) દ્વારા આપવામાં આવેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને અંજલિ આપે છે.
બંને મંત્રીઓએ સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બહાદુર ભારતીય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી જેમની સેવાને કોરિયા પ્રજાસત્તાકના લોકો દ્વારા ઊંડા આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવે છે.

તેમના સંબોધનમાં, રક્ષા મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાય માટે ભારતના યોગદાનના સ્થાયી વારસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે બંને દેશોનો સહિયારો ઇતિહાસ અને બલિદાન ભારત-કોરિયા પ્રજાસત્તાક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી માટે મજબૂત પાયા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે ભારતીય સૈનિકોની ભૂમિકાની સ્મૃતિ જાળવવાથી લોકો-થી-લોકો વચ્ચેની સમજણને મજબૂત કરવામાં મદદ મળે છે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત થાય છે. ભારત સરકાર વતી, તેમણે સ્મારકની સ્થાપનામાં તેમના મૂલ્યવાન સમર્થન અને સહકાર માટે કોરિયા પ્રજાસત્તાકની સરકાર, ખાસ કરીને દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રાલય પ્રત્યે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.

કોરિયા પ્રજાસત્તાકના દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રીએ કોરિયન યુદ્ધ દરમિયાન ભારતની ભૂમિકા માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય સૈનિકોના બલિદાન અને માનવતાવાદી સેવા દ્વારા રચાયેલા મિત્રતાના સ્થાયી સંબંધોનો સ્વીકાર કર્યો હતો.
કોરિયન યુદ્ધના અનુભવી સૈનિકોનું સન્માન કરવા અને તેમની વચ્ચેના આદાનપ્રદાનને મજબૂત કરવા માટે સહકારના ઉદ્દેશ્ય સાથે બંને મંત્રીઓ દ્વારા એક સમજૂતીજ્ઞાપન (સ્ર્ેં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સૈનિકોના નિ:સ્વાર્થ બલિદાનની યાદમાં એક સંસ્મરણ ગ્રંથ (મેમોઇર) પણ બહાર પાડવામાં આવ્યો હતો.
લેફ્ટનન્ટ કર્નલ (ડૉ.) એ. જી. રંગરાજ, મહાવીર ચક્ર, ના કમાન્ડ હેઠળની ૬૦ પેરા ફીલ્ડ એમ્બ્યુલન્સે ક્રોસફાયરની અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં હજારો ઘાયલ સૈનિકો અને નાગરિકોની સારવારમાં તેની અનુકરણીય તબીબી સેવા અને સમર્પણ માટે વ્યાપક માન્યતા મેળવી હતી. તેમની અજાેડ બહાદુરી અને માનવતાવાદી અભિગમને કારણે કોરિયા પ્રજાસત્તાકના ઘાયલ સૈનિકો અને નાગરિક વસ્તી દ્વારા તેમને ‘મેરૂન એન્જલ્સ‘ નું બિરુદ આપવામાં આવ્યું હતું.
ભારતે કોરિયન યુદ્ધના યુદ્ધવિરામ પછીના તબક્કામાં પણ ઝ્રહ્લૈં દ્વારા મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને ન્યુટ્રલ નેશન્સ રિપેટ્રિએશન કમિશન (દ્ગદ્ગઇઝ્ર) હેઠળ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ૧૯૫૩ માં કોરિયન યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યુદ્ધ કેદીઓના માનવીય પ્રત્યાર્પણ (રીપેટ્રિએશન) અને કસ્ટડીની સુવિધા માટે લેફ્ટનન્ટ જનરલ કે. એસ. થિમાય્યાના નેતૃત્વ હેઠળ ભારતની અધ્યક્ષતામાં દ્ગદ્ગઇઝ્ર ની સ્થાપના કરવામાં આવી હતી.
ઝ્રહ્લૈં એ આ સંવેદનશીલ અને જટિલ જવાબદારી વ્યાવસાયિકતા, નિષ્પક્ષતા અને કરુણા સાથે નિભાવી હતી, અને કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ, સમાધાન અને માનવતાવાદી સિદ્ધાંતોમાં તેના યોગદાન માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવી હતી. લેફ્ટનન્ટ જનરલ થિમાય્યાનું વિશિષ્ટ નેતૃત્વ અને રાજદ્વારી કુશળતા કોરિયન યુદ્ધ દરમિયાન ભારતના રચનાત્મક અને શાંતિ-લક્ષી રોલના સ્થાયી પ્રતીક તરીકે રહી છે.
ભારતીય યુદ્ધ સ્મારકનું નિર્માણ એ જ વિસ્તારમાં કરવામાં આવ્યું છે જ્યાં ઝ્રહ્લૈં એ સપ્ટેમ્બર ૧૯૫૪ માં ‘હિંદ નગર‘ ની સ્થાપના કરી હતી, જેમાં લગભગ ૨૨,૦૦૦ યુદ્ધ કેદીઓને તેમના શાંતિપૂર્ણ પ્રત્યાર્પણ સુધી રાખવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના ભંડોળ સહાયથી હાથ ધરવામાં આવ્યો છે, જે બંને દેશો વચ્ચેના સહિયારા ઇતિહાસ અને સ્થાયી મિત્રતા માટે ભારતના ઊંડા આદરને દર્શાવે છે.
આ સમારોહમાં બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ, લશ્કરી પ્રતિનિધિઓ, અનુભવી સૈનિકો, રાજદ્વારી સમુદાયના સભ્યો અને પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ (ડૉ.) એ. જી. રંગરાજના ભત્રીજી સુશ્રી કલ્પના પ્રસાદ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. કોરિયાના દેશભક્ત અને અનુભવી સૈનિકોના બાબતોના મંત્રાલયે આ મહિનો કર્નલ રંગરાજના સન્માનમાં સમર્પિત કર્યો છે.
આ સ્મરણોત્સવ ભારત-કોરિયા પ્રજાસત્તાકના સહિયારા ઇતિહાસના એક મહત્વપૂર્ણ છતાં પ્રમાણમાં ઓછા જાણીતા પ્રકરણને પુનર્જીવિત કરવા અને સન્માનિત કરવા માટેના એક મહત્વપૂર્ણ પ્રયાસ સમાન છે. કોરિયન યુદ્ધ દરમિયાન ભારતીય કર્મચારીઓનું યોગદાન શાંતિ, માનવતાવાદી સહાય અને આંતરરાષ્ટ્રીય સહકાર પ્રત્યે ભારતની લાંબા સમયથી ચાલી આવતી પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી પ્રતીક છે. ભારતીય યુદ્ધ સ્મારકના ઉદ્ઘાટન સાથે, રક્ષા મંત્રીએ તેમની વિયેતનામ અને દક્ષિણ કોરિયાની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે.

