ગિરગઢડા
ભરત ગંગદેવ…
હોળી ધુળેટી પર્વ નિમિત્તે દેશભરમાં આનંદની લાગણી પ્રસરી છે. કેમકે બે વર્ષ બાદ આ પ્રસંગે લોકો ખુલ્લા મને આનંદ સભર ઉત્સવ મનાવવામાં જઈ રહ્યા છે. ત્યારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી હનુમાનજી મહારાજને હોળી ધુળેટી પર્વ નિમિત્તે ધાણી ખજૂરનો અન્નકૂટ કરાયો હતો. આ ઉત્સવમાં ભીખાભાઈ આહીરની સેવા પ્રાપ્ત થઈ હતી.


