રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
હાલના સમયે ઓનલાઈન શિક્ષણનું મહત્વ ખૂબ વધ્યું છે.ઉપગ્રહ પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમ શિક્ષણને વેગવાન બનાવી છે.આધુનિક ટેકનોલોજીથી ભણતરનો ભાર પણ ઓછો થાય છે..તે માટે વાલ્લા ગામના સ્વ.અરજણભાઈ કમાભાઈ ભરવાડના સ્મરણાર્થે તેઓના સુપુત્ર મફતભાઈ અરજણભાઈ ભરવાડ તરફથી શાળાને રૂ.૩૫,૪૦૦/- નું 4 HD ૪૨”નું સ્માર્ટ ટીવી ભેટ અર્પણ કર્યું છે..શાળાના બાળદેવોના લાભાર્થે ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નો થકી મળેલ આ ભેટ બદલ આચાર્ય જયપાલસિંહ ઝાલાએ દાતાશ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો..


