ગિરગઢડા
ભરત ગંગદેવ.
સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થી પોતાની શક્તિ અનુસાર સરસ તૈયારી કરી પરીક્ષા આપવા જતા હોય છે. પરંતુ તેમને વાલી તથા શિક્ષકોનું પિઠબળ પણ એટલું જ જરૂરી છે. ગુરુકુલ દ્રોણેશ્વરમાં સરકાર દ્વારા આપવામાં આવેલા ધોરણ ૧૦ ના સેન્ટર પર વિદ્યાર્થીઓને પ્રવેશ પહેલાં શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી અને પેંડાના પ્રસાદથી મોં મિઠા કરાવ્યા હતાં


