Rajasthan

કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાજપની રાજનીતિનો તોડ કાઢવાનો પ્લાન ઘડાયો

રાજસ્થાન
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરનો ત્રીજાે અને છેલ્લો દિવસ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવા ચિંતન શિબિરમાં ચર્ચાઓ ચાલી રહી છે. તે દરમિયાન, કોંગ્રેસે ‘ચિંતન શિબિર’માં ભાજપની હિન્દુત્વની રાજનીતિની ચર્ચા કરી હતી. અનૌપચારિક વાતચીત દરમિયાન એક જનરલ સેક્રેટરીએ ખુલાસો કર્યો કે જ્યારે અયોધ્યાને તેમના એજન્ડામાં સામેલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું અને નકારી કાઢ્યું હતું. સોનિયા ગાંધીએ શુક્રવારે કોંગ્રેસ ‘ચિંતન શિવિર’ ખાતે તેમના ઉદ્‌ઘાટન સંબોધનમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે પક્ષ સતત “ધ્રુવીકરણની રમત રમી રહ્યો છે અને લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. મોદી સરકાર દેશમાં ધ્રુવીકરણની કાયમી સ્થિતિ જાળવી રાખવા માંગે છે. લોકોને સતત ભય અને અસુરક્ષાની સ્થિતિમાં જીવવા મજબૂર કરે છે. અલ્પસંખ્યકો અને તેમના પર અત્યાચારોને દ્વેષપૂર્ણ રીતે નિશાન બનાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા દિગ્ગજાેએ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા કે કોંગ્રેસે ભાજપનો સામનો કરવા માટે તેના સમાવેશી એજન્ડાને મજબૂત બનાવવો જાેઈએ. સાથે જ ભાજપની પીચ પર બેટિંગ કરવાનો પ્રયાસ ટાળવો જાેઈએ. ઉત્તર પ્રદેશના નેતાઓએ સૂચન કર્યું કે પાર્ટીએ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો જાેઈએ. તેનાથી વિપરિત કેટલાક નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાતથી કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં તમારી મૂળ બિનસાંપ્રદાયિક વિચારધારાને વળગી રહેવું વધુ સારું રહેશે. આ સાથે પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે. નોંધપાત્ર રીતે દરેકના અભિપ્રાય પછી ઝ્રઉઝ્ર જણાવશે કે કોંગ્રેસે આજે સાંજે શું ર્નિણય લીધો છે, પરંતુ ઝ્રઉઝ્ર આવી દરખાસ્તોને સમર્થન આપે તેવી શક્યતા નથી.

How-Congress-will-break-BJPs-politics-of-Hindutva-Plan-in-a-meditation-camp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *