National

મેં કઈ ખોટું કર્યું નથી અને મેં મુખ્યમંત્રી હતો ત્યારે પગાર પણ લીધો નથી ઃ શાહબાઝ શરીફ

પાકિસ્તાન
પાકિસ્તાનની કોર્ટમાં સુનાવણી દરમિયાન પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, ‘અલ્લાહે મને આ દેશનો પીએમ બનાવ્યો છે. પરંતુ હું મજનુ છું અને મેં મારા કાયદાકીય અધિકારો, મારો પગાર અને અન્ય કોઈ લાભો લીધા નથી. તમને જણાવી દઈએ કે આ કેસ જૂનો છે પણ આખા પાકિસ્તાનની અહેવાલોમાં છે. ત્યારબાદ શાહબાઝ અને તેના પુત્રો હમઝા અને સુલેમાન વિરુદ્ધ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નવેમ્બર ૨૦૨૦માં પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હમઝા હાલમાં પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી છે, જ્યારે સુલેમાન ફરાર છે અને બ્રિટનમાં છે. વિશેષ અદાલતે શનિવારે પીએમ શાહબાઝ અને તેમના પુત્ર હમઝાના આગોતરા જામીનને ૪ જૂન સુધી લંબાવ્યા હતા. તેની તપાસમાં, હ્લૈંછએ શાહબાઝ પરિવારના ૨૮ કથિત બેનામી ખાતાનો પર્દાફાશ કર્યો છે, જેના દ્વારા ૨૦૦૮ થી ૨૦૧૮ સુધી ૧૪ અબજ રૂપિયાની મની લોન્ડરિંગ કરવામાં આવી હતી. જ્યારે, સુનાવણી દરમિયાન શાહબાઝ શરીફે એમ પણ કહ્યું કે મેં ૧૨.૫ વર્ષમાં સરકાર પાસેથી કંઈ લીધું નથી અને તેમ છતાં મને લાખો રૂપિયાની મની લોન્ડરિંગના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. શાહબાઝ શરીફ ૧૯૯૭માં પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ દેશના પીએમ હતા. ૧૯૯૯ માં જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધા પછી, શાહબાઝે ૨૦૦૭ માં પાકિસ્તાન પાછા ફર્યા તે પહેલાં તેમના પરિવાર સાથે સાઉદી અરેબિયામાં આઠ વર્ષ વિતાવ્યા. તેઓ ૨૦૦૮માં બીજી વખત પંજાબના સીએમ બન્યા અને ૨૦૧૩માં ત્રીજી વખત સત્તામાં આવ્યા.પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને તેમના પુત્ર વિરુદ્ધ ૧૬ અરબ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં સતત સુનવણી થઈ રહી છે. આ વાતો વચ્ચે શહબાજ શરીફે એક વિશેષ કોર્ટમાં જણાવ્યું છે કે, મેં કઈ ખોટું કર્યું નથી અને પંજાબના મુખ્યમંત્રી રહ્યો ત્યારે મેં પગાર સુદ્ધા લીધો નથી.

Pakistans-PM-Shahbaz-Sharif.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *