Delhi

આમ આદમી પાર્ટીએ દિલ્લીમાં કચરાના પહાડને દૂર કરવા એક્શન પ્લાન બનાવ્યો

નવીદિલ્હી
આમ આદમી પાર્ટીએ દિલ્લીને સ્વચ્છ રાખવાની રીતો પર ચર્ચા માટે ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને વરિષ્ઠ આમ આદમી પાર્ટી નેતા અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યુ કે દિલ્લીમાં સાફ-સફાઆ અને કચરાના પહાડની એક ગંભીર સમસ્યા છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જરુરી છે. એમસીડીની મુખ્ય જવાબદારી દિલ્લીની સ્વચ્છતાને લઈને અમારી પાસે ઘણા સૂચનો છે જે પ્રભાવી સાબિત થઈ શકે છે. આશા છે કે એલજી સક્સેના થોડો સમય કાઢીને ચર્ચા માટે જરુર બોલાવશે. ગાઝીપુર લેન્ડફિલ સાઇટની મુલાકાત લીધી હતી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આગામી ત્રણ દિવસમાં ગાઝીપુર, ભાલ્સવા અને ઓખલા સ્થિત ત્રણેય કચરાના પર્વતોને સંપૂર્ણ રીતે હટાવવા માટે એક એક્શન પ્લાન સબમિટ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ન્ય્ની સાથે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર, સ્ઝ્રડ્ઢના વિશેષ અધિકારી અશ્વની કુમાર અને કમિશનર જ્ઞાનેશ ભારતી હતા. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારના જ સર્વેમાં દિલ્હીને દેશનુ સૌથી ગંદુ રાજ્ય ગણાવ્યુ છે. આ અમારી ચર્ચાનો પ્રથમ મુદ્દો છે. પાર્ટીની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી સ્ઝ્રડ્ઢ પર કામ કરી રહી છે અને અમારી પાસે ઘણા સૂચનો છે જેની અમે એલજી સાથે ચર્ચા કરવા માંગીએ છીએ. દેશ-વિદેશમાં કચરો નાબૂદ કરવા માટે ઘણી પદ્ધતિઓ ઘડી કાઢવામાં આવી હતી જે સફળ પણ રહી હતી. અમે આમાંની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. અમારો બીજાે મુદ્દો એ છે કે દરેક ઘરમાંથી નિયમિતપણે સમયસર કચરો ઉપાડવો જાેઈએ અને દિલ્હીમાં ગંદકીની કોઈ સમસ્યા ના હોય. કચરો ઉપાડ્યા પછી સ્ઝ્રડ્ઢ તેને દિલ્હીની ત્રણ પહાડીઓ પર ફેંકી દે છે જે એક મોટી સમસ્યા છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્યુ હતુ કે દરેક ઘરમાંથી દરરોજ સમયસર કચરો ઉપાડવો જાેઈએ અને તે જ સમયે તે કચરાને યોગ્ય રીતે પ્રક્રિયા કરવી જાેઈએ જેથી દિલ્હીમાં કચરાના ડુંગર ન રહે. આ અંગે ઘણા સૂચનો છે. લેફ્ટનન્ટ ગવર્નર સાથે આ તમામ મુદ્દાઓ અને સૂચનોની વિગતવાર ચર્ચા કરવા ઈચ્છુ છુ.

India-Gujarat-Surat-AAP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *