Delhi

જ્ઞાનવાપી મસ્જિદ કેસ કોર્ટનો ૮૬ વર્ષ જૂનો નિર્ણય અને હાલની ચર્ચાઓ

નવીદિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદ સાથે જાેડાયેલો મામલો આ દિવસોમાં વારાણસીની કોર્ટમાં ચાલી રહ્યો છે, હવે આ મામલે ૮૬ વર્ષ જૂના કોર્ટના ર્નિણયની ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ૧૯૪૨માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો, ત્યારે દેશમાં બ્રિટિશ શાસન હતું. હિંદુ પક્ષ જ્ઞાનવાપી કેસને લઈને કોર્ટમાં પહોંચ્યો હતો અને તેણે તેના પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો. કોર્ટે લાંબા સમય સુધી તેની સુનાવણી કરી. તેની ઐતિહાસિકતાના પુરાવા ચકાસવામાં આવ્યા હતા. પછી ર્નિણય આવ્યો. ૧૯૪૨માં આ અંગે અલ્હાબાદ કોર્ટનો ર્નિણય સિવિલ જજના ર્નિણય પર આધારિત હતો. જેમાં તેમણે આ મસ્જિદની આસપાસની જમીન પરથી વકફ બોર્ડનો દાવો રદ કર્યો હતો. જૂના કેસને દીન મોહમ્મદના કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌપ્રથમ ઓગસ્ટ ૧૯૩૬માં બનારસની સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આમાં દીન મોહમ્મદ, મોહમ્મદ હુસૈન અને મોહમ્મદ ઝકરિયાએ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ મારફતે ૧૧ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદની આસપાસ જે પણ જમીન છે અને આ સમગ્ર જગ્યાને વકફ પ્રોપર્ટી તરીકે જાહેર કરવામાં આવે. નીચલી અદાલતે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારપછી સિવિલ કોર્ટે પોતાના ર્નિણયમાં લખ્યું- અમે આ મસ્જિદના ઈતિહાસમાં ગયા અને આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ મસ્જિદ અને જમીન હિંદુ મંદિરની છે. જેને ૧૭મી સદીમાં ઔરંગઝેબે તોડીને બંધાવ્યું હતું. હવે આ મસ્જિદનું મૂળ શું છે તે જાણવાનો અને તેના વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. એટલું કહેવું પૂરતું છે કે ૧૮૦૯ પહેલા જ્યાં મસ્જિદ છે, વારાણસીમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ગંભીર રમખાણો થયા હતા. આ ર્નિણય સામે દીન મોહમ્મદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટના જજ સર જેમ્સ જાેસેફ વેટલેસા અને કમલકાંત વર્મા હતા. જેમણે ચુકાદામાં લખ્યું છે કે વિદ્વાન સિવિલ જજે મસ્જિદના મૂળ વિશે વિગતવાર તપાસ કરી હતી. અને યોગ્ય ર્નિણય લીધો. અલ્હાબાદ હાઈકોર્ટે ૧૦ એપ્રિલ ૧૯૪૨ના રોજ દીન મુહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે, સામાન્ય રીતે ઠાસરા એક ફિલ્ડ બુક છે, જેમાં ભાડૂતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે માલિકીનો ચોક્કસ પુરાવો નથી. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદ બનાવતી વખતે પરિસરની કોઈ બાઉન્ડ્રી વોલ નહોતી, તેથી સ્પષ્ટ છે કે મસ્જિદને અડીને જે પણ જમીન છે, તે મસ્જિદની નથી. દીન મોહમ્મદ સહિત અન્ય વકીલોએ તેમના કેસમાં હિંદુઓને પક્ષકાર બનાવ્યા જ નહીં, પરંતુ સરકારને પ્રતિવાદી બનાવ્યા. તેણે જ્ઞાનવાપી કૂવા સહિત સમગ્ર જમીન પર પોતાનો દાવો કર્યો હતો. જ્ઞાનવાપી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જ્ઞાનનો કૂવો. આ મસ્જિદને હટાવવા અને મંદિર બનાવવા માટે ૧૯૯૧થી કાનૂની લડાઈ ચાલી રહી છે, પરંતુ તાજેતરના સર્વે બાદ તે વધુ ચર્ચમાં છે. ચંદ્રગુપ્ત બીજાએ ૪થી અને ૫મી સદીની વચ્ચે કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ૬૩૫ બીસીમાં, પ્રખ્યાત ચીની પ્રવાસી હુઆન ત્સાંગે તેમના લખાણોમાં મંદિર અને વારાણસીનું વર્ણન કર્યું છે. ૧૧૯૪ થી ૧૧૯૭ બીસી સુધી, મુહમ્મદ ઘોરીના આદેશથી મંદિરનો મોટાભાગે નાશ કરવામાં આવ્યો હતો, જેનાથી મંદિરોના ધ્વંસ અને પુનઃનિર્માણની શ્રેણી શરૂ થઈ હતી. ૧૭૭૬ અને ૧૯૭૮ ની વચ્ચે, ઈન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરે જ્ઞાનવાપી મસ્જિદ પાસે હાલના કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ૧૯૩૬માં સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારમાં નમાઝ પઢવાના અધિકાર માટે બ્રિટિશ સરકાર સામે જિલ્લા અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વાદીએ સાત સાક્ષીઓ રજૂ કર્યા, જ્યારે બ્રિટિશ સરકારે પંદર સાક્ષીઓ રજૂ કર્યા. જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ અદા કરવાનો અધિકાર ૧૫ ઓગસ્ટ, ૧૯૩૭ના રોજ સ્પષ્ટપણે આપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જ્ઞાનવાપી સંકુલમાં આ પ્રકારની નમાઝ બીજે ક્યાંય અદા કરી શકાતી નથી. ૧૦ એપ્રિલ ૧૯૪૨ના રોજ હાઈકોર્ટે નીચલી કોર્ટના ર્નિણયને માન્ય રાખ્યો હતો. અન્ય પક્ષકારોની અપીલો ફગાવી દેવામાં આવી હતી. પંડિત સોમનાથ વ્યાસ, ડૉ. રામરંગ શર્મા અને અન્યોએ ૧૫ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી ખાતે નવા મંદિરના નિર્માણ અને પૂજાની સ્વતંત્રતા માટે દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઈન્તજમિયા મસ્જિદ અને ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ, લખનૌએ ૧૯૯૮માં હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરીને આ આદેશને પડકાર્યો હતો. ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ ના ??રોજ, શહેરની ૫ મહિલાઓ રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજુ વ્યાસ, સીતા સાહુ અને રેખા પાઠકે વારાણસી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી અને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરીના નિયમિત દર્શનની અનુમતિ માંગી. જે મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો.

India-Delhi-Suprim-Court-of-India-Gyanvapi-Mosque-Case-What-is-the-86-year-old-decision-of-the-court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *