Gujarat

લાઠી પોલીસ સ્ટેશનનાં અપહરણ તથા પોકસોના ગુન્હાના છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી લાઠી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય,જે અનવયે પોલીસ અધિક્ષક, અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચરી પોતાની
કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ખાસ સૂચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, શ્રી જે.પી.ભંડેરી, સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.પી.એ જાડેજા સાહેબની સુચન મુજબ લાઠી પો. સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૨૦૨૧૦/૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૩ ૩૬૬ પોકસો એકટ કલમ ૧૮ મુજબ અપહરણ તથા પોકસો ગુનો કરી ભોગ બનનારને લઇ ને નાચી જનાર આરાપી ને આજરોજ લાઠી ટાઉન બસ સ્ટોપ પાસેથી પકડી પાડી પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારુ આરોપી તથા ભોગબનનારને લાઠી પોસ્ટે સોંપી આપેલ છે
પડાયેલ આરોપીની વિગત (૧) નિકુજભાઇ ઉર્ફે બાલો હરજીવનભાઇ રંગપરા ધંધો કડિયાકામ લાઠી લુવારીયા દરવાજા તા લાઠી જી. અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા જે.પી.ભંડેરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલીનાઓની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ પી.એ જાડેજા સાહેબ તથા લાઠી સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં
 આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220628-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *