મણીપુર
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યના નોની જિલ્લામાં પણ બુધવારે રાત્રે એક મોટી ભૂસ્ખલન જાેવા મળી હતી, જે તુપુલ રેલ્વે સ્ટેશન નજીકના ૧૦૭ ટેરિટોરિયલ આર્મી કેમ્પને અથડાતી હતી. ઘટના બાદ તરત જ વહીવટીતંત્ર અને સેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ ૨૦ લોકો હજુ પણ ગુમ છે, જ્યારે ૧૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જીરીબામને ઈમ્ફાલ સાથે જાેડવા માટે રેલ્વે લાઈન બનાવવામાં આવી રહી છે. તેની સુરક્ષા માટે ૧૦૭ ટેરિટોરિયલ આર્મી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જબરદસ્ત ભૂસ્ખલન થયું હતું. આ પછી ગુરુવારે સવારે આર્મી, આસામ રાઈફલ્સ, મણિપુર પોલીસ દ્વારા મોટાપાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર ઉપલબ્ધ ઈજનેરી સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના બાદ લગભગ ૨૦ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જેમની શોધ ચાલી રહી છે. આમાં હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે, પરંતુ ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂ ટીમને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, કેટલાક ઘાયલોને કેમ્પની નજીકથી બહાર કાઢીને નોની આર્મી મેડિકલ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને ઇમ્ફાલ મોકલવામાં આવી રહ્યા છે.