પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નિમિતે શ્રી સોમનાથ મંદિરે રાત્રિના જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગન્દ્રભાઈ દેસાઇ તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવેલ હતુ, આ પૂજનમાં ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી, જનરલ મેનેજરશ્રી સાથે ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.
