Gujarat

વેપારીઓએ રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા, દુકાનો બંધ રાખી

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાંતા શહેરના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો. દાંતાના તમામ ધર્મના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે જાહેર રસ્તાઓ પર […]

Gujarat

આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, બપોરે બહાર નીકળવાનું ટાળવા અપીલ

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે તાપમાન 41.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે 1 વાગ્યે તાપમાન 39 ડિગ્રી રહેશે. બપોરના 2થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 26.4 […]

Gujarat

2 મેએ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન, નગરમાં ઠેર-ઠેર થશે સ્વાગત

વૈશાખ સુદ પાંચમ, 2 મેના રોજ સોમનાથ મહાદેવ મંદિરના સ્થાપના દિવસે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂના સોમનાથ મંદિરથી બપોરે 2 વાગ્યે યાત્રાનો પ્રારંભ થશે. યાત્રા મેઈન બજાર, વડલા ચોક, રામરાખ ચોક અને પાટ ચકલા વિસ્તારમાંથી પસાર થશે. રામરાખ ચોક ખાતે પાલખી યાત્રાની આરતી ઉતારવામાં આવશે. સમગ્ર માર્ગ […]

Gujarat

પરશુરામ જયંતીની શોભાયાત્રા રદ, પહેલગામમાં મૃતકો માટે યજ્ઞનું આયોજન

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ નાગરિકોના મોતને કારણે વેરાવળ બ્રહ્મ સમાજે પરશુરામ જયંતીની ઉજવણીમાં ફેરફાર કર્યો છે. સમાજે શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. બ્રહ્મસમાજના પ્રમુખ સુજલભાઈ પાઠકના જણાવ્યા અનુસાર, 29મી એપ્રિલે પરશુરામ જયંતીના દિવસે શોભાયાત્રાને બદલે મૃતકોની આત્માની શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં કાશ્મીર હુમલાને કારણે શોકનો […]

Gujarat

ઊનાના દેલવાડા ગામે ટોયલેટ બ્લોક તૈયાર થયા બાદ તાળા મારી દીધા !

ઊના પંથકના દેલવાડા ગામે ટોયલેટ બ્લોક તૈયાર થઈ ગયા બાદ તાળું મારી દેવામાં આવતા લોકોએ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ઊના તાલુકામાં વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ દેલવાડા ગામ મોટું છે અહીંયા નાણાં પંચની ગ્રાન્ટ હોય 15 ટકા વિવેકિધીન ગ્રાન્ટ હોય સ્વચ્છતા ગ્રાન્ટ હોય સરકાર દ્વારા સૌથી વધુ ગ્રાન્ટ મેળવતુ ગામ છે અને આ ગામમાં […]

Gujarat

વેરાવળ-પાટણ સહિત 12 ગામને આવરી લેતી ‘સુડા’ની રચના, કલેક્ટર બનશે અધ્યક્ષ

ગુજરાત સરકારે સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું વિસર્જન કરી નવી સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ની રચના કરી છે. નવી રચાયેલી સુડામાં વેરાવળ-પાટણ નગરપાલિકા ઉપરાંત 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં ડારી, છત્રોડા, ડાભોર, તાંતીવેલા, ભાલપરા, સવની, સોનારીયા, બાદલપરા, કાજલી, મીઠાપુર, ગોવિંદપરા […]

Gujarat

વિજલન્સની કાર્યવાહીમાં 10.92 લાખનો દારૂ, 3 વાહનો સહિત 18.63 લાખનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ વિજલન્સ પોલીસે મોટી કામગીરી કરી છે. પોલીસે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર અલગ-અલગ સ્થળોએથી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂપિયા 10.92 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ત્રણ વાહનો અને પાંચ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. રોકડ રકમ સહિત કુલ 18.63 લાખનો […]

Gujarat

ગટર ઓવરફ્લો, કચરો અને રખડતા ઢોરથી લોકો પરેશાન, રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં

ભચાઉ નગરમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ યથાવત રહી છે. નગરના વિવિધ વિસ્તારોમાં ગટર ઓવરફ્લો થવાથી દૂષિત પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જાહેર માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જલારામ સોસાયટી નજીક કોલેજ તરફના માર્ગે વહેતી ગટરથી સ્થાનિક રહીશો ત્રસ્ત છે. ગટર ચેમ્બર છલકાવાથી દુર્ગંધયુક્ત પાણી દિવસભર વહે છે. માખી-મચ્છરનો ઉપદ્રવ વધતા બીમારીનું જોખમ […]

Gujarat

તેરા ગામમાં બખ મલખડા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન, મુંબઈથી પણ આગેવાનો પધાર્યા

અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરામાં શીતળા માતાજીનો પરંપરાગત મેળો યોજાયો હતો. આ મેળામાં અબડાસા તાલુકાના આસપાસના ગામોના લોકોએ શીતલા માતાજીના દર્શન કર્યા હતા. શીતલા માતા મેળા સમિતિ દ્વારા આયોજિત આ મેળામાં નાસ્તા, ઠંડા પીણાં અને રમકડાંની વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવી હતી. સવારથી શરૂ થયેલા મેળામાં બપોર બાદ બખ મલખડાની રમત યોજાઈ હતી. બખ મલખડાના વિજેતાઓને […]

Gujarat

12 કર્મચારીઓને ગ્રેજ્યુઇટી, રજા પગાર અને એરિયર્સના ચેક અપાયા

રાપર નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા 12 કર્મચારીઓને આજે તેમના લાભની રકમના ચેક આપવામાં આવ્યા. આ રકમમાં ગ્રેજ્યુઇટી, રજા પગાર, ઉચ્ચતર પગાર ધોરણ અને એરિયર્સનો સમાવેશ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી અને હિસાબનીશ મહેશ સુથાર તેમજ કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢાએ જણાવ્યું કે, લાંબા સમયથી નિવૃત્ત કર્મચારીઓના લાભની રકમ બાકી હતી. […]