ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નાં રૂ. 1744.21 કરોડનાં ડ્રાફ્ટ બજેટમાં વેસ્ટ ટુ વન્ડર પાર્કની જાહેરાત કરી છે. સરગાસણ-ઉવારસદ-તારાપુર-અડાલજ વિસ્તારમાં આવેલા ટીપી-29નાં ફાઈનલ પ્લોટ-468માં 52 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આ અનોખો પાર્ક વિકસાવવામાં આવશે. આ પાર્કની ખાસિયત એ છે કે અહીં કચરામાંથી ગુજરાતનાં પ્રસિદ્ધ પૌરાણિક સ્થળોની […]
Author: JKJGS
આંતરરાષ્ટ્રીય સ્તરના શહેર માટે ક્રિકેટ સ્ટેડિયમથી માંડી ફાયર સ્ટેશન સુધીની સુવિધાઓ આપશે
ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે રૂ. 1744.21 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો વધારો દર્શાવે છે. કમિશનર જે.એન. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત-2026 અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કર્યું છે. શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. રાંધેજા વિસ્તારમાં જિલ્લા કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનશે, જ્યારે […]
વઢવાણમાં બંધ પુસ્તકાલય શરૂ કરવા માગણી
વઢવાણ શહેરનું સૌથી જૂનું જોરાવરસિંહજી પુસ્તકાલય જર્જરિત થતા ઉતારી લેવાયું હતું. પરંતુ લાંબા સમયથી ચાલુ નહીં થતા પુસ્તક પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. રાજાશાહીમાં સ્થપાયેલ પુસ્તકાલય લોકશાહીમાં ફરીથી શરૂ કરાવવા માગ ઊઠી છે. વઢવાણના રાજવી જોરાવરસિંહજીએ વાંચનપ્રેમીઓ માટે પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. આ ઐતિહાસિક પુસ્તકાલયમાં 2500થી વધુ પુસ્તક હતા. જેમાં ઐતિહાસિક, નવલકથાઓ, જ્ઞાન વિજ્ઞાન, નાટકો વગેરે […]
લખતરનાં ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા, જાળવણી થાય તેવી લોકમાગ
લખતરની વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઊભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. તો ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા હોય તેવું જોવા મળે છે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ કરતા જૂની ઈમારતોને હેરિટેજમાં સમાવવા માટેની […]
એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ રાજકોટ ખાતે ‘પ્રકૃતિ પરીક્ષણ’ અભિયાન યોજાયું
૧૩૫ સી.આઈ.એસ.એફ. કર્મયોગીઓની શારીરિક પ્રકૃતિની તપાસ કરાઈ એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ રાજકોટ ખાતે ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસ્વાના અધ્યક્ષસ્થાને ‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ અન્વયે સેના કર્મીઓનું આયુર્વેદિક શરીર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા “જુડીયે દેશ કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન સે, એક કદમ સ્વસ્થ ભારત કી ઓર” થીમ અન્વયે “દેશ કા પ્રકૃતિ પરીક્ષણ […]
જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ફાધરે વિધાર્થીને ઢીબી નાખ્યો, 8 સેકન્ડમાં 7 લાફા માર્યા
વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સીપાલ કેમેરામાં કેદ,પ્રિન્સીપાલે માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં માર્યા તમાચા 16 જાન્યુઆરીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે,વિદ્યાર્થીના વાલીએ શાળામાં આવી કરી હતી તોડફોડ જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ફાધરે વિધાર્થીને ઢીબી નાખ્યાના સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, ફાધર વિધાર્થીને 8 સેકન્ડમાં 7 લાફા ઝીંકી દે છે. ઉલ્લેખનીય છે કે, આ […]
ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળાનાં બાળકોએ પતંગ ઉડાડી આનંદમેળાની મોજ માણી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની વેલુક પ્રાથમિક શાળામાં પતંગોત્સવ સાથે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં ખૂબજ ઉત્સાહી આચાર્ય મયૂર પરમારે આ પ્રસંગે બાળકોને ઉતરાયણનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે આ પ્રસંગે યોજાયેલ આનંદમેળા વિશે જણાવ્યું હતું કે બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કેળવાય અને સાથોસાથ તેમનાં શિક્ષણ માટે તે લાભદાયી નીવડે […]
સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા ડેપોના ડ્રાયવરો, કંડક્ટરો અને હેલ્પરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ટ્રાફિકના નિયમન અંગેના શપથ લીધા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૨૪મો માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી અને સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહી અકસ્માત […]
સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર બે ખાતે બેગલેસ ડે અંતર્ગત ઇમિટેશન જ્વેલરી વ્યવસાય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા દસ દિવસ બેગ્લેસ ડે અંતર્ગત આજરોજ આ શાળામાં મંજુબેન અને તેમના પતિશ્રી બંને એક વર્ષ થયું પોતે પોતાનો બિઝનેસ શરૂ કર્યાને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાના રોકાણથી તેઓ ઇમિટેશન જ્વેલરી તેમાં પણ ચાંદી અને સોના જેવી જ્વેલરીનું વેચાણ તેઓ કરે છે તેમની મુલાકાત સ્કૂલમાં લેવડાવી અને ધોરણ છ […]
સુરત મહાનગરપાલિકાનાં કર્મચારીને 7 લાખનાં ચેક રીટર્નનાં કેસમાં ઓલપાડનાં એડી.ચીફ જ્યુ.મેજી. દ્વારા 1 વર્ષની કેદની સજા ફટકારી તથા વળતર તરીકે ફરીયાદીને 7 લાખ રૂપિયા ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો
ઓલપાડ મુકામે રહેતાં અને દાણા ચણાનો વેપાર કરતાં ફરીયાદી ગોવિંદભાઈ મીઠાભાઈ બારૈયા, રહે : ઢાંકણી ફળીયુ, ઓલપાડ, તા. ઓલપાડ, જી. સુરતનાં મિત્ર નામે ગીરીશભાઈ જેસંગભાઈ પરમાર, જેઓ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. જેઓએ ફરીયાદી પાસેથી સને 2021 નાં વર્ષમાં હાથ ઉછીના રૂા. 3,50,000 લઈ ગયેલા અને તેનાં બદલામાં તેમની માલીકીનું ઓલપાડ મુકામે સાંઈઆશિષ સોસાયટીમાં આવેલ […]










