બુલડોઝરની કાર્યવાહી પર હાઈકોર્ટ નારાજ, સુપ્રીમ કોર્ટ બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ પ્રકાશ પડિયાની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા સવાલો ઉઠાવ્યા છે. ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક કેસની સુનાવણી કરતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે એવા કયા સંજાેગો છે […]
Author: JKJGS
સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન
સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સમાજને ફીટ રાખવાનાં હકારાત્મક સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનને સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે ફ્લેગ ઓફ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 300 જેટલાં સાયકલિસ્ટો સહિત ઓલપાડ તાલુકાનાં વિવિધ ઈનોવેશન ક્ષેત્રે સક્રિય એવાં સાયકલિસ્ટ શિક્ષક ડો. ધર્મેશ પટેલ પણ ઉત્સાહભેર ભાગ […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૭૦ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો
૧૫૩ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૩૫ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૦મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ-ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા […]
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બેનરો સાથે રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજરોજ દિલીપ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાજપારડી ચંદ્રકાંત એંકલેવ સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યલય ખાતે ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે રાજપારડી […]
અમદાવાદ સ્થિત CBSE દિવ્યપથ શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટ મા Gold Medal બાદ નેશનલ રમવા જશે
દિવ્યપથ સ્કૂલ નો ધોરણ 10(M) નો વિદ્યાર્થી મન એસ તેજવાણીએ તારીખ 7/9/24 એ આનંદ યુગપુરુષ રમતગમત સંકુલમાં આયોજિત પ્રતિષ્ઠિત રાજ્ય-કક્ષાની ટુર્નામેન્ટ કરાટેમાં બે ગોલ્ડ મેડલ મેળવીને સફળતાની સિધ્ધી મેળવી છે. અને તા 8 /9/24 મન તેજવાણી એ કુમિતે અને કાતા એમ બંને શ્રેણીમાં ગોલ્ડ જીતીને ઉત્કૃષ્ટ કૌશલ્ય અને નિશ્ચય દર્શાવ્યો હતો. 75 કિગ્રા વજન કેટેગરીમાં […]
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ ઈ ચલન રિકવરી કરવામાં આવી હતી
છોટાઉદેપુરમાં લોક અદાલત યોજનાર છે. જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં વાહન ચેકીંગ, ઈ ચલન રિકવરી તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલ ટ્રાફિક સમસ્યા અંગે વિવિધ એપ તેમજ સ્ટેટ ટ્રાફિક શાખામાં ટ્રાફિક અંગેની ફરિયાદ નિવારણ અંગે ક્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ કરાયેલ […]
છોટાઉદેપુરના તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર આશ્રમ શાળાના ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના મામલે આદિજાતિ વિકાસ વિભાગ હરકતમાં આવ્યું છે
વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની આખરે બદલી કરવામાં આવી છે. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે શ્રી ગજાનંદ કુમાર છાત્રાલય આદિજાતિ વિકાસ વિભાગની આવેલ છે. આ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને ગૃહપતિ માર મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જે વિડીયો ખરાઈ કરતા વિદ્યાર્થીઓએ તેઓના ગૃહપતિ તેઓને નશો કરીને હેરાન કરતા હોય અને માર મારતા હોવાનું […]
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આદિવાસી આધિકાર દિવસની ઉજવણી કરાઈ
સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૦૭માં ૧૩મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે છોટાઉદેપુર ખાતે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ૧૬માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે દરબાર હોલ ખાતે વિશ્વ અધિકાર દિવસમાં ઉજવવામાં આવ્યો હતો. ૧૩ સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી આધિકાર દિવસની ઉજવણી પ્રસંગે યુવા શિબિર યોજવામાં આવી હતી. જે પ્રસંગે આદિવાસી સમાજના યુવા કાર્યકરો દ્વારા […]
છોટાઉદેપુર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો ૧૭ મી સપ્ટેમ્બરથી પ્રારંભ
લોકોને સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકારની ૫૫ જેટલી સેવાઓ સ્થળ ખાતેથી ઉપલબ્ધ બનશે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા જિલ્લામાં તમામ જગ્યાએ કાયમી સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેકટરનો અનુરોધ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે બેઠક યોજાઇ રાજ્ય સરકાર દ્વારા છેવાડાને માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ ઉપર જ સમયસર […]
છોટાઉદેપુરની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાના ગુનાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાના ગુનાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. છોટાઉદેપુરના અત્રોલી ગામના રેશમા બજુ રાઠવાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ગત 13જૂન 2020માં આ ઘટના બની હતી. દાવાની રકમની અદાવત રાખી આરોપી રેશમા રાઠવાએ ગામનાજ જગદીશ પાર્સિંગ રાઠવાને પાવડો મારી હત્યા કરી હતી. મરનારના ભાઈની ફરિયાદને લઈ […]










