આઇ.ઓ.સી.એલ.ની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં મોતને ભેટેલા કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના સ્વજનોએ વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કરી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. રિફાઇનરીના અધિકારીઓ અને પોલીસની સમજાવટ પછી સાંજે બંને મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. સોમવારે બપોરે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગ લાગતા […]
Author: JKJGS
વડોદરામાં પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ થયા બાદ પતિએ છેતરપીંડી કરી તેનાં નામે વીજમીટર કરાવી દીધું
વાસણારોડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજ મીટર કરાવી લીધું હોવાની ફરિયાદ પત્નીએ નોંધાવી છે. વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતા બેને કહ્યું છે કે,મારા લગ્ન કુંદન મહાદેવભાઇ તીવરેકર સાથે થયા હતા.પતિના ત્રાસને કારણે મેં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેના કેસ ચાલી રહ્યા છે. હાલમાં હું જ્યાં રહું છું […]
અંકલેશ્વરમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી આપવાની લાલચમાં ૯૦ જણાને ૧.૮૪ કરોડ ઠગી લીધાં
ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં કંપનીની સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં કાયમી ધોરણે ભરતી કરવાના બહાના હેઠળ ૯૦ લોકોના રૃપિયા એક ગઠિયો ચાંઉ કરી ગયો છે. ૧.૮૪ કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર થઈ ગયો છે. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે. અંકલેશ્વરના રહીશ અને સિક્યોરિટી સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા ઠગે અંકલેશ્વના જ ૫૦ નોકરી વાંચ્છુને ઓએનજીસી ખંભાત, […]
ગાંધીનગરમાં પેટાચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારની જાહેરાત, મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોને આપી મોટી ભેટ
આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]
વલસાડમાં શિરડીથી સુરત જતી બસ પલટી જતાં ૩૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ
ગુજરાતના મુસાફરોને ૨૪ કલાકમાં બે મોટા અકસ્માત નડ્યા છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સહિત ૩૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ […]
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી ભરૂચ આવતા સમયે બોરભાઠા નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને […]
જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી કુલ ૯ લોકોના મોત થયાં
ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. દર્શનાર્થીઓની ભીડને જાેતા સોમવારે સવારે ૬ કલાકે પરિક્રમાના દ્વાર ખોલવામાં આવ્યા […]
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ આદેશ […]
મહેસાણામાં બોરીસણા ઘટના મામલે ડો.મહેશ કાપડીયાનું નિવેદન આપ્યું
બોરીસણા ઘટના મામલે ડો.મહેશ કાપડીયાનું નિવેદન ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે. બોરીસણા ઘટના સંદરેભે ડો. મહેશ કાપડીયાએ આ નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે. જેમાં ડોક્ટરોએ ગ્રામજનોના સહકારથી કેમ્પ રાખ્યો હતો. આ કેમ્પમાં ૮૨ જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કુલ ૧૯ લાભાર્થીઓના […]
રાજકોટમાં પૂજારીએ કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને આત્મહત્યા કરી
શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી રાજ્યમાં વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન અંધશ્રદ્ધાના કારણે ટૂંકાવ્યું છે. જાેકે આ આપણે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈપણ પુરુષ અથવા મહિલાનું અંધશ્રદ્ધાના નામે શારીરિક અથવા આર્થિક રીતે શોષણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિ […]










