National

મહારાષ્ટ્રમાં એક સામાન્ય વ્યક્તિએ ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી ૧૦૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું

ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ૧૧ સ્થળો પર દરોડા પાડી રૂ. ૧૦ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાણેમાં રહેતાં જિતેન્દ્ર પાન્ડેએ ૨૬૯ બૅન્ક ખાતા મારફત રૂ. ૧૦ હજાર કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા છે. આ કૌભાંડ માટે તેણે ૯૮ નકલી કંપની અને ૧૨ ખાનગી કંપની બનાવી હતી. આ કંપનીઓના નામે ફંડ ઉઘરાવી તેણે વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. […]

National

૧૯ વર્ષના છોકરાને ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું, દિલ્હીમાં ૧૩ કલાકમાં સફળ સર્જરી થઇ

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ૧૯ વર્ષના યુવાનને નવજીવન આપ્યું છે. આ ઘટનાએ ૩ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયેલા પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની યાદ અપાવી છે. ૫૩ વર્ષીય લૂઈ વોશકેન્સ્કીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ૨૫ વર્ષીય મહિલાનું હૃદય લગાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ૧૮ દિવસ પછી લૂઈનું મોત થયું હતું. પરંતુ, આશાના […]

National

યુપીમાં હાઈવે પર એક પછી એક ૫ કાર વચ્ચે ભયંકર ટક્કર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી-લખનઉ હાઇવે પર આશરે અડધો ડઝન વ્હીકલ્સ એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાપુરના બાબૂગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાએ જણાવ્યું કે, આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે સિમરૌલી બોર્ડર કાલી નદી પુલ પર […]

National

ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા

અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, ભક્તોને ભોજન પીરસશે પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. ૧૩ જાન્યુઆરીથી ૨૬ […]

National

છત્તીસગઢમાં પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થતાં ૩૦ લોકો દટાયા; ૫થી વધુના મોતની આશંકા

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. કુસુમ પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થવાથી ૩૦ લોકો દટાયા હતા. જેમાંથી ૫થી વધુ લોકોના મોતની આશંકા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં આવેલ આર્યન ફેકટરીમાં એક મોટો અકસ્માત થયો છે. ગુરુવારે સાંજે સરગાંવ […]

International

બ્રાઝિલમાં ભીના રન-વેને કારણે પ્લેન ક્રેશ, ૧નું મોત, ૭ ઈજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સાઓ પાઉલોના શહેર ઉબાતુબામાં એક નાનું વિમાન ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડીને રોડ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને વિમાનમાં સવાર ચાર મુસાફરો […]

International

ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ

લોસ એન્જલસમાં વિકરાળ આગમાં હજારો લોકોએ પોતાની મિલકતો ગુમાવી, રાષ્ટ્રપતિ જાે બિડેને પોતાનો ઇટાલીનો પ્રવાસ રદ કર્યો આગના કારણે અત્યાર સુધીમાં ૫૨ થી ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના લોસ એન્જલસ માં અનેક દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબુમાં નથી […]

International

અમેરિકામાં ૨૦૨૫થી H-1B વિઝા પ્રોગ્રામ બદલાશે, ૫ મોટા ફેરફાર થશે

અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. ૐ-૧મ્ મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ તરીકે ઓળખાતો આ ફેરફાર અમેરિકામાં કુશળ વિદેશી કામદારોની ભરતી […]

National

દુનિયાની સૌથી ભયંકર મહામારી કહેવાય જેના કારણે ૨૦ કરોડથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા

૨૦૨૫ની શરૂઆતમાં ચીનમાંથી વધુ એક નવો વાયરસ શરૂ થયો છે, જેને ૐસ્ફઁ કહેવામાં આવી રહ્યો છે. જાે કે, તેનાથી હજુ સુધી કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં. ત્યારે આજે અમે તમને દુનિયાની એક એવી ખતરનાક મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને માનવ ઇતિહાસની સૌથી ખતરનાક મહામારીઓમાંની એક […]

Gujarat

માંગરોળના રુદલપુર નજીક ગૌવંશના અબોલ પશુ આખલાને બેફામ મારમારવાના બનાવથી મૃત્ય પામતા ગૌપ્રેમીઓમાં રોષ ભભુકયો

માંગરોળના રુદલપુર ગામ નજીક  એક અબોલ પશુ આખલાને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્રૂરતા પૂર્વક મારમારી તેના પગો ભાંગી નાખ્યા અને ત્યારબાદ આખલાનો મોત થયાનો બનાવ સામે આવ્યો છે, માનખેત્રા થી રુદલપુર જવાના કાચા રસ્તા પર ગંભીર હાલતમાં આખલો હોવાનું ગૌરક્ષા સેનાના કાર્યકરોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ આખલાને ગૌવાહન દ્વારા માંગરોળ પશુ દવાખાના […]