ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક કોર્પોરેશન લિમિટેડ વીજ ઉત્પાદન કરતી કંપની છે. આ કંપનીના રાજ્યમાં આવેલા વિવિધ થર્મલ પાવર સ્ટેશન ઉપર એપ્રેન્ટીસ કરનાર યુવાનોએ નોકરીની માંગ સાથે આજે વડોદરા ખાતે આવેલી ઉર્જા વિકાસ નિગમની મુખ્ય કચેરી ખાતે ઘરના પ્રદર્શન કર્યું હતું. યુવાનોએ નોકરી આપોને માંગ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા શહેરના […]
Author: JKJGS
ધો.10-12માં આખા બિલ્ડિંગમાં માત્ર 1 વિદ્યાર્થી પરીક્ષા આપશે, સુપરવાઇઝર સહિત 5 કર્મીઓ ખડે પગે રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કેટલાક ઓપ્શનલ વિષયના પેપરમાં સમગ્ર બિલ્ડિંગમાં માત્ર એક વિદ્યાર્થી આપશે.ઇતિહાસના પેપર માટે સ્વામી વિદ્યાનંદજી, નવયુગમાં રાજ્ય શાસ્ત્રના પેપરમાં માત્ર એક વિદ્યાર્થી માટે પરીક્ષા લેવામાં આવશે. 5 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ માટે 5થી વધુ સભ્યોનો સ્ટાફ પરીક્ષાની કામગીરી કરશે. બોર્ડ […]
બારડોલીમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ છતાં રોડનું સમારકામ ન થતાં હાલાકી
બારડોલીના કડોદ રોડ પર પાણી પુરવઠા વિભાગ દ્વારા સુરત બલ્ક પાણી યોજના માટે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. શિવાજી પ્રતિમથી રેલ્વે ફાટક સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં એક લેન બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવતા આજુબાજુના સોસાયટીના રહીશો પણ હેરાન થઈ ચૂક્યા છે. […]
ઓટલાં પર શાકભાજી, દુકાનમાં બુરખાના ધંધાની આડમાં આરોપીઓએ 125 કરોડથી વધુનું USDT કૌભાંડ આચર્યું
અત્યંત ચકચારી એવા યુએસડીટી હવાલાકાંડમાં એસઓજીની ટીમે હજાર પાનાથી વધુની દળદાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ સમગ્ર કાંડમાં રિકવરી માટે હવે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે પણ એન્ટ્રી કરી છે. હવાલાકાંડના આ કેસમાં આરોપીઓની નવી જ મોડસ ઓપેરેન્ડી સામે આવી છે, જેમાં હવાલાના રૂપિયા સ્મગલિંગમાં ટ્રાન્સફર કરીને ‘કૌભાંડ પર કમાણી’નો નવો ચીલો આરોપીઓએ ચાતર્યો છે. રૂપિયા […]
સુરતમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીની તબિયત લથડી, 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડતા સમયસર સારવાર મળી
સુરતમાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીની તબિયત અચાનક ખરાબ થતા સ્કૂલમાં દોડધામ થઈ ગઈ હતી. આ મામલે સ્કૂલ દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થીનીને ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ ખસેડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીને છાતીમાં દુખાવો થતો હતો અને અડધું જ પેપર હજુ લખી શકી […]
સાઈબર ગઠિયા ન તો OTP પૂછશે, ન લિંક મોકલશે, કોલ મર્જ કરશો એટલે તરત જ તમારું બેન્ક ખાતું ખાલી થઈ જશે
સાઈબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ ના તમને ઓટીપી પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની. બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે, તમે કોલ મર્જ કરો એટલે તમારું બેન્ક ખાતું ખાલી. કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેશ માત્ર […]
સાબરમતી-ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા, વિંઝોલ ફાટક 10 દિવસ બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 926 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં. 4 માર્ચના રોજ સાબરમતીથી ઉપડનારી સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુરના […]
સરખેજ-ધોળકા માર્ગને ફોરલેન કરવાનું કામ 108 મહિને પણ અપૂર્ણ
સરખેજ થી ધોળકા હાઇવે રોડનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું હતું, આજે 108 મહિના પૂરા થવા આવ્યા આમ છતાં હજુ સુધી કામ પૂરું થયું નથી. જેથી કરીને કન્સ્ટ્રકશન કંપની દ્વારા નિયમ મુજબ કામના સ્પેફિકેશન અંગેનું બોર્ડ પણ મુકાતું નથી. કયા કારણોસર કામ અટકી ગયું છે તે પણ જાણી શકાતું નથી. દસક્રોઈના ભાત ગામના રહીશ દ્વારા […]
અમિત શાહ રવિવારે એક સાથે 11,300 વકીલને શપથ લેવડાવશે
દેશના વકીલઆલમના ઇતિહાસમાં સો પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વીકશન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે. વકીલોના શપથ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી રૂષિકેષ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ […]
સમસ્ત ભરવાડ સમાજ સાવરકુંડલા આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ દ્વારકા તરફ પ્રસ્થાન
સાવરકુંડલા થી દ્વારકા પગપાળા સંઘયાત્રા આજે પ્રસ્થાન થયું દસ દિવસ બાદ દ્રારકા પહોંચશે. આજરોજ સાવરકુંડલા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ પ્રસ્થાન થયેલ છે. અંદાજિત ચારસો જેટલા પદયાત્રીઓ ૧૦૦ જેટલા સ્વયંમસેવકો સાથે દ્રારકા દર્શને નીકળી પડ્યા છે. પદયાત્રા સંઘના તમામ પદયાત્રીઓ ભક્તિભાવ સાથે દ્રારકાધીશના જયઘોષ સાથે દ્રારકા જવા રવાના થયા. આમ […]










