નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ જેટ્લા ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે ૦૯ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા […]
Author: JKJGS
હિંડનબર્ગના આરોપો અંગે હવે સેબીના ચીફ માધબી બુચ સમગ્ર મામલે ખુલીને સામે આવ્યાં
હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- ‘અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો પ્રયાસ છે’ અમારી પર લગાવાયેલાં તમામ આરોપો સાવ પાયાવિહોણા છે. તમામ આરોપો તદ્દન ખોટા છે. હિંડનબર્ગ રિસર્ચે થોડા વર્ષો પહેલા અદાણી કેસમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે હિંડનબર્ગે સેબીને લપેટમાં લીધું છે. આરોપ છે કે સેબીના ચેરપર્સન […]
ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી 8 ફૂટ, મહત્તમ 15 થી 17 ફૂટ થવાની સંભાવના
અંકલેશ્વર તરફના 14 ગામમાં વધુ તકેદારી ગત વર્ષે નર્મદા નદીમાં આવેલાં પૂરની સૌથી વધારે અસર અંકલેશ્વર તાલુકામાં વર્તાઇ હતી. નદીથી 10 કીમી દૂર શહેર સુધી પૂરના પાણી ફરી વળ્યાં હતાં. અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર તથા ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરફુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુન ગામ, બોરભાઠા, તરીયા, નવા ધંતુરીયા, જુના […]
ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીએ માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા […]
ગિરનાર પ્રવાસ કરીને વાદળોને વિંધવાનો સમય
ગિરનારની વનરાજી અને ખૂબસુરતી માણવી હોય તો સૌથી શ્રેષ્ઠ સમય વરસાદ રોકાઇ ગયા પછીના દિવસો જ હોય છે. શ્રાવણ માસમાં જટાશંકર ફરવા આવનાર બહારગામનો વર્ગ વધ્યો છે. ગિરનાર સીડી ચઢીને જનારા બહુ ઓછા હોય છે. જોકે, ઉડન ખટોલામાં બેસીને ગિરનાર સ્થિત અંબાજી મંદિર સુધી જનારા પ્રવાસીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉડન ખટોલાના પ્રવાસ […]
નદી પ્રદૂષિત કરનારા શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ
જામનગરની રંગમતી નદીમાં ખુલ્લેઆમ કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નદી પ્રદૂષિત કરનારા શખ્સો સામે કોઇ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ ઉઠ્યા છે. મહાનગરપાલિકા કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહી હોય પારવાર દુર્ગંધથી આવાગમન કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જામનગરમાં રંગમતી અને નાગમતી નદીના વહેણમાં વ્હોરના હજીરા પાસે છાશવારે કેમિકલયુકત પાણીનો નિકાલ કરવામાં આવી […]
નર્મદા ડેમના ૯ દરવાજામાંથી દર મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણી નદીમાં છોડાઈ રહ્યું છે
– ભરૂચ સહીત ત્રણ જીલ્લામાં ૧૦૦થી વધુ ગામ સચેત કરાયા – રવિવારે બપોરે બે વાગ્યે ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટ થઇ, સરદાર સરોવરમાં ૩.૦૯ લાખ ક્યુસેકની આવક – પૈકી ૯ ગેટ ૧.૫ મીટરથી ખોલી નદીમાં ૯૦ હજાર ક્યુસેક પાણી છોડાયું – RBPH જળવિધુત મથક થકી નદીમાં વહેતુ ૪૩૦૦૦ ક્યુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ પૈકી […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
છોટાઉદેપુર ખાતે કાર્યરત જીલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, લીગલ વકીલ એસ.વી.રાઠવા કિશોરીબેન ઠાકોર અને ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.કે.પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કેદી ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેદીઓને મળતી સુવિધાઓ અને […]
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઝોઝ ગામે પ્રાથમિક શાળાને અપગ્રેડ કરીને 9 થી 12ના વર્ગો શરૂ કરાશે
છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે ધોરણ-૧ થી ૮ ની પ્રાથમિક શાળા આવેલી છે. ઝોઝ ગામની આજુબાજુમાં ૨૦ જેટલા ગામોના બાળકો ધોરણ- ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે છોટાઉદેપુર તથા બીજા દૂરના સ્થળે જવુ પડે છે. જેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તા. ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ શિક્ષણમંત્રી, પ્રો.કુબેરભાઈ ડીંડોરને પત્ર લખી ઝોઝ પ્રા. શાળાને અપગ્રેડ કરી ધોરણ-૯ થી […]
“હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં યોજાઈ રહી છે ચિત્ર સ્પર્ધા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે જિલ્લાના વધુમાં વધુ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે અનેકવિધ કાર્યક્રમો થકી જિલ્લાવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ તથા […]










