ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ […]
Author: JKJGS
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ તમિલનાડુથી આરોપી ને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, વર્ષ ૨૦૦૨માં સચિન વિસ્તારમાંથી અઢી વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી ૫ લાખની ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ક્રિષ્ણા કેવટને પોલીસે ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ તમિલનાડુથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૦૨માં સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક પરિવારના અઢી વર્ષના પુત્રનું અપહરણ કરી આખા શહેરમાં સનસનાટી મચાવી દેવામાં […]
લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે થયું સમાધાન; બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી
પાંચ મહિના બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં ૧૨ ઓગસ્ટે હુમલો થયો […]
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના
શહેરના સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર ન્યુસન્સની ફરિયાદના આધારે સ્થળ પર પહોંચેલી PCR વાન પર એક શખસે લાકડાના ફટકા વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આરોપીએ માત્ર સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં, પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે રકઝક કરી ગાળાગાળી […]
બોટાદમાં ગમખ્વાર અકસ્માત: પીકઅપ વાન પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત, ૨૬ લોકો ઈજાગ્રસ્ત
બોટાદના મિલિટરી રોડ પર રવિવારે (૨૮મી ડિસેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી થઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય ૧૬થી વધુ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ […]
અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં તોફાન
અમદાવાદના ખોખરા ભાઈપુરા રોડ પર આવેલા ‘જય અંબે ફાસ્ટ ફૂડ‘ નામના સ્ટોલ પર સામાન્ય પૈસાની લેતીદેતીમાં મોટી મારામારી સર્જાઈ હતી. આરોપી મોન્ટુ કોષ્ટી અને તેના ત્રણ મિત્રો સિગારેટ અને મસ્કાબન લેવા આવ્યા હતા. જ્યારે દુકાન માલિક રાજેશ વર્માએ વસ્તુઓના પૈસા માંગ્યા, ત્યારે મામલો બિચક્યો હતો અને બોલાચાલી બાદ આરોપીઓએ આતંક મચાવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત […]
બિહાર: જેજેડીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા તરફથી ધમકીનો હવાલો આપતા તેજ પ્રતાપે સુરક્ષા માંગી, સમ્રાટ ચૌધરીને પત્ર લખ્યો
જનશક્તિ જનતા દળ (JJD) ના વડા તેજ પ્રતાપ યાદવે તેમના જીવને જાેખમ હોવાનું જણાવી બિહાર સરકાર પાસેથી સુરક્ષાની માંગણી કરી છે. રાજદના પદભ્રષ્ટ નેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીને પણ પત્ર લખ્યો છે. “મને લાગે છે કે કોઈ ખતરો છે, તેથી જ મેં સુરક્ષાની વિનંતી કરી છે. મેં આ સંદર્ભમાં સમ્રાટ ચૌધરીને પત્ર […]
ગૃહ મંત્રાલય પશ્ચિમ બંગાળના સીઈઓ મનોજ અગ્રવાલને ‘વાય‘ શ્રેણીની સશસ્ત્ર CISF સુરક્ષા આપશે
ગૃહ મંત્રાલય એ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી ને સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળનું ‘રૂ-પ્લસ‘ શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ખતરાની ધારણાના અહેવાલના આધારે આ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. આ સુરક્ષા કવચ શુક્રવારે અમલમાં આવ્યું, જે આગામી ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીઓને અપડેટ અને સાફ કરવાના હેતુથી કરવામાં આવતી […]
કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો, ૮ સભ્યો ભાજપમાં જાેડાયા, મત્તાથુર પંચાયત પર કબજાે મેળવ્યો
એક અભૂતપૂર્વ પગલામાં, કેરળના ત્રિશૂર જિલ્લાના મત્તાથુર પંચાયતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો, કારણ કે તેના પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાર્ટીમાંથી રાજીનામું આપીને અને સ્થાનિક સંસ્થા પર નિયંત્રણ મેળવવા માટે ભાજપ સાથે જાેડાણ કરીને અણધાર્યો આંચકો આપ્યો હતો. એક આઘાતજનક ઘટનાક્રમમાં, મત્તાથુર ગ્રામ પંચાયતના તમામ આઠ કોંગ્રેસ સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપ સાથે હાથ મિલાવ્યો, […]
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્ણાટકમાં INS વાગશીર પર દરિયાઈ સફર હાથ ધરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કારવાર નૌકાદળ મથકથી ભારતની છઠ્ઠી અને અંતિમ કાલવરી-ક્લાસ સબમરીન, INS વાગશીર પર દરિયાઈ ઉડાન ભરી. ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર એવા રાષ્ટ્રપતિ મુર્મુની સાથે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ભારતીય નૌકાદળના અન્ય અધિકારીઓ પણ હતા. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુ કાલવરી-ક્લાસ સબમરીન પર ઉડાન ભરનારા રાજ્યના પ્રથમ વડા બન્યા છે. […]










