International

આતંકીઓને સાથ સહકાર આપનાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો

પહેલગામ આતંકી હુમલા પછી ભારતના સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ર્નિણયથી પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચીનાબ પર બાંધકામ કરવાના અગાઉના પ્રતિબંધો હટી ગયા છે. ૧૯૬૦માં વિશ્વ બેન્કની મધ્યસ્થતાથી કરાયેલી સંધિએ પાકિસ્તાનની સહમતિ સિવાય બેરેજ અને બંધ બાંધવાની ભારતની ક્ષમતા સીમિત કરી હતી. જાેકે, હવે જમ્મુ અને કશ્મીર સરકાર લાંબો સમયથી બંધ પડેલા વુલર બેરેજ […]

International

ખાલિસ્તાની આતંકી સંગઠનના પ્રમુખ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા નિખિલ ગુપ્તાએ અંતે ન્યૂયોર્ક કોર્ટમાં ગૂનો કબૂલ્યો

એક મોટા ઘટનાક્રમમાં, ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ અંતે અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં પોતાનો ગૂનો કબુલી લીધો છે. તેણે કબૂલી લીધું છે કે પન્નુની હત્યા માટે તેણે અમેરિકાના એક કથિત ગુનેગારને સોપારી આપી હતી. તેની આ કબૂલાતે આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરક્ષા એજન્સીઓ અને કૂટનીતિક ક્ષેત્રમાં […]

International

આંતરરાષ્ટ્રીય મંચ પર ફરીવાર પાકિસ્તાનની ‘આબરૂ‘ના ધજાગરા ઉડ્યા

પાકિસ્તાનના આર્મી ચીફને જર્મનીમાં સિક્યોરિટી ગાર્ડે રોકી આઈ.ડી કાર્ડ માંગ્યું આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ‘આબરૂ‘ના ધજાગરા ઉડવાનો સિલસિલો યથાવત છે. જર્મનીમાં મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ માં મુનીર પોતાની વર્દીનો વટ પાડવા ગયા હતા, પણ ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેમને કોઈ સામાન્ય માણસની જેમ જ અટકાવીને તેમનો ‘અસલી‘ હોદ્દો પૂછી લીધો. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરને જર્મનીમાં ‘ઓળખનું […]

International

હોમલેન્ડનું ત્રીજું શટડાઉન શરૂ થતાં ૨.૭૨ લાખ કર્મીનો પગાર અનિશ્ચિત

ટ્રમ્પની આગેવાની હેઠળ રિપબ્લિકનોએ બુધવારે સમાધાન માટે મોકલેલો પ્રસ્તાવ ડેમોક્રેટ્સે સ્વીકાર્યો નહીં ડેમોક્રેટ્સ ઇમિગ્રેશનને લઈને તેમના વલણમાં કોઈપણ પ્રકારનું નમતુ જાેખવા તૈયાર ન હોવાથી આ શટડાઉન થયું છે. યુએસ કોંગ્રેસે લગભગ ૯૭ ટકા જેટલા ખર્ચાને તો મંજૂરી આપી દીધી છે, પરંતુ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની ઇમિગ્રેશન અંગેની કામગીરીથી ડેમોક્રેટ્સ ખાસ્સા નારાજ છે. તેમા પણ આઇસીઇ એજન્ટ્સોએ […]

National

અમેરિકા સાથે શરતો સાથે પરમાણુ કરાર કરવા તૈયાર- ઈરાન

અમેરિકા સાથે વાતચીત મામલે ઈરાન નું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જાે કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ […]

National

ભારતને મળનારા ૧૧૪માંથી ૨૪ સુપર-રાફેલ હશે

ફ્રાન્સ સાથે ભારત ૧૧૪ રાફેલ વિમાનોનો સોદો ૩.૨૫ લાખ કરોડ રૂપિયામાં કરવા જઈ રહ્યું છે. ૧૭ ફેબ્રુઆરીથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની ત્રણ દિવસની ભારત યાત્રા શરૂ થઈ રહી છે. આ દરમિયાન આ ડીલ પર મહોર લાગશે. આ ૧૧૪માંથી ૨૪ વિમાન સુપર રાફેલ હશે, જેને ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશન F-5 નામથી બનાવી રહી છે. […]

National

કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. તે ૯ ફેબ્રુઆરીથી ગુમ હતો. સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે રવિવારે તેની પુષ્ટિ કરી. દૂતાવાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સ્થાનિક પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યાની પુષ્ટિ કરી છે. પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા તમામ શક્ય મદદની […]

National

૨૨ એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

મહાશિવરાત્રિ પર ઉખીમઠમાં તારીખ જાહેર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે ૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે ખુલશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના પછી શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ વર્ષે કપાટ વૃષ લગ્નમાં ખુલશે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. આ […]

National

આંધ્રપ્રદેશના અમરાવતીમાં બનશે દેશની પહેલી AI યુનિવર્સિટી

૧૯ ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે જે ઝડપથી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આપણા જીવન સાથે જાેડાઈ રહ્યું છે, ભવિષ્યમાં આપણને શાળા-કોલેજમાં એવા અભ્યાસની જરૂર પડશે, જે ફક્ત AIનું જ જ્ઞાન આપતો હોય, જેથી છૈંની દુનિયામાં તેના પ્રોફેશનલ્સની કમી ન પડે. આ પડકારને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં દેશની પ્રથમ AI યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે. હું આ […]

National

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે ટીપુ સુલતાનની તુલના શિવાજી મહારાજ સાથે કરી

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તુલના ટીપુ સુલતાન સાથે કરવા પર વિવાદ વધી ગયો છે. સપકાલે કહ્યું હતું-“ટીપુ સુલતાનને શિવાજી મહારાજની બરાબર માનવા જાેઈએ. તેઓ એક યોદ્ધા અને ભારતના ભૂમિપુત્ર તરીકે ઉભરી આવ્યા. તેમણે ક્યારેય ઝેરી વિચારસરણી અપનાવી ન હતી. સપકાલ ૧૪ ફેબ્રુઆરીએ બુલઢાણામાં માલેગાંવ નગર નિગમના ડેપ્યુટી મેયર નિહાલ […]