Gujarat

લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મમાં દિનેશભાઈ ડાંગરિયા ની વરણી

સમગ્ર ભારતમાં અખિલ ભારતીય સ્તરે ચાલતા લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતમાં દર બે વર્ષે અલગ અલગ હોદ્દેદારની વરણી કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા બે વર્ષથી જામનગરના ઉદ્યોગ ક્ષેત્રે સંગઠન સાથે ઉદ્યોગકારોના પ્રશ્નને વાંચા આપતા દિનેશભાઈ ડાંગરિયા પ્રમુખ પદે કાર્યરત તથા જેને ફરીથી વર્ષ 2025 થી 2027 માટે અમદાવાદ ખાતે અખિલ ભારતીય બેઠકમાં સર્વનુંમતે વરણી […]

Gujarat

જામનગર એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર

જામનગર જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ રેસ્ક્યુ કામગીરી, સબંધિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે તથા ઓછામાં ઓછા સમયમાં દરેક વિભાગો દ્વારા પરસ્પર […]

Gujarat

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતેથી અધિક્ષક શ્રી શૈલેષભાઇ ગોહિલને વિદાયમાન અપાયું

મોરબી માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ ધરાવતા તથા પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે કામગીરી વ્યવસ્થા માટે અધિક્ષક તરીકે ફરજ નિભાવતા શ્રી શૈલેષભાઈ ગોહિલ વય નિવૃત્ત થતા તેમને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેથી વિદાયમાન અપાયું હતું. માહિતી ખાતામાં ૩૩ વર્ષથી વધુ સમય સુધી ફરજ અદા કરનારા શ્રી શૈલેષભાઇ ગોહિલને મોરબી અને રાજકોટ જિલ્લા માહિતી પરિવાર દ્વારા પુષ્પગુચ્છ, […]

Gujarat

રાજ્ય સરકાર પ્રતિ ક્વિન્ટલ ₹200 આપશે, 90 હજાર ખેડૂતોને લાભ મળશે; 1 જુલાઈથી અરજી કરી શકાશે

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ.200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે […]

Gujarat

જામનગરનું છેલ્લું સીંગલ સ્ક્રીન થિયેટર પણ બંધ

જામનગર શહેરમાં કાર્યરત રહેલું એકમાત્ર સીંગલ સ્ક્રીન થિયેટર બંધ થતાં જામનગરના થિયેટર યુગના સુવર્ણ કાળનો અંત આવ્યો છે. જો કે, આ થિયેટરની જગ્યાએ મલ્ટી પ્લેક્સ અને મોલ બનતા હોવાનું જાણવા મળે છે. 1972માં જામનગરના જાણીતા વેપારી પેઢી રૂગનાથ ત્રિકમદાસ બદીયાણી પરિવાર દ્વારા કંકુ નિવાસ તરીકે ઓળખાતી જગ્યા લઈને ત્યાં અંબર ટોકીઝ બનાવી હતી. જેમાં પ્રથમ […]

National

યુપી ના પ્રયાગરાજમાં સાંસદ ચંદ્રશેખર આઝાદને પોલીસે રોક્યા બાદ હિંસા ભડકી; વાહનો સળગાવી દેવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો

રવિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લગભગ બે કલાક સુધી શહેરના રસ્તાઓ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને હિંસાનો મોટો ભડકો થયો હતો. ભીમ આર્મીના વડા અને સંસદ સભ્ય ચંદ્રશેખર આઝાદના સમર્થકો પૈકી એક ટોળાએ પોલીસે કૌશામ્બી જતા અટકાવ્યા બાદ તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી, ડાયલ ૧૧૨ ઇમરજન્સી રિસ્પોન્સ વેન ઉથલાવી દીધી […]

National

કર્ણાટક કોંગ્રેસમાં ભંગાણના અહેવાલોને સિદ્ધારમૈયાએ ફગાવી દીધા: ‘અમારી સરકાર ખડકની જેમ ૫ વર્ષ સુધી ચાલશે‘

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના નાયબ ડીકે શિવકુમાર વચ્ચેના કથિત તણાવ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, મુખ્યમંત્રીએ સોમવારે રાજ્ય સરકારની સ્થિરતાને પુન:પુષ્ટિ આપી અને જાહેરાત કરી કે તે “ખડકની જેમ” તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. એકતાના પ્રતીકાત્મક પ્રદર્શનમાં, સિદ્ધારમૈયાએ મૈસુરુમાં પત્રકારો સાથે વાત કરતી વખતે નાયબ મુખ્યમંત્રી શિવકુમારનો હાથ પકડ્યો. મુખ્યમંત્રીએ સરકારની સ્થિરતા પર […]

National

કેરળ સરકારે વરિષ્ઠ IPS અધિકારી રવડા એ ચંદ્રશેખરને રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા

કેરળ સરકાર દ્વારા વરિષ્ઠ IPS અધિકારી રવડા એ ચંદ્રશેખરને રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. “રાવડા એ ચંદ્રશેખર આઈપીએસ, સ્પેશિયલ ડિરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યુરોને કેરળના પોલીસ મહાનિર્દેશક-કમ-રાજ્ય પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,” આદેશમાં જણાવાયું છે. અગાઉ, મુખ્યમંત્રી પિનરાયી વિજયનની અધ્યક્ષતામાં મળેલી ખાસ કેબિનેટ બેઠકમાં સોમવારે નિવૃત્ત થઈ રહેલા શૈખ દરવેશ સાહેબના […]

National

સિક્કિમ વિધાનસભાએ લોકાયુક્ત (સુધારા) બિલ પસાર કર્યું

સોમવારે હિમાલય રાજ્યની વિધાનસભામાં સિક્કિમ લોકાયુક્ત બિલ, ૨૦૨૫ પસાર કરવામાં આવ્યું છે. વિધાનસભામાં દિવસભર ચાલેલા સત્ર દરમિયાન ગૃહમાં સ્કોલર્સ યુનિવર્સિટી ઓફ સ્કિલ્સ એન્ડ ઇનોવેશન, સિક્કિમ બિલ, ૨૦૨૫ પણ રજૂ કરવામાં આવ્યું. કાયદા મંત્રી રાજુ બસનેતે સ્પીકર એમ.એન. શેરપાની પરવાનગીથી ગૃહમાં સુધારા બિલ રજૂ કર્યું, જેમાં લોકાયુક્તના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળના વિસ્તરણ માટે સિક્કિમ લોકાયુક્ત અધિનિયમ, […]

National

જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં LOC પર BSF દ્વારા પાકિસ્તાની નાગરિકની ધરપકડ; રોકડ ૨૦,૦૦૦ રૂપિયા જપ્ત

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં નિયંત્રણ રેખા (LOC) નજીક સરહદ સુરક્ષા દળ (BSF) દ્વારા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અરીબ અહેમદ તરીકે ઓળખાતા ઘુસણખોરને શંકાસ્પદ સંજાેગોમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે અટકાવવામાં આવ્યો હતો, જેના કારણે સંવેદનશીલ સરહદી ક્ષેત્રમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, BSF રાજૌરી […]