બોડેલી તાલુકાના સૌથી મોટા હાટ બજાર પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે. દેવ દિવાળીના દિવસે બોડેલી APMC માર્કેટ ખાતે ભરાતા રવિવારી હાટ બજારમાં ઘરાકી નહિવત્ રહેતા વેપારીઓ ચિંતિત બન્યા છે. સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન આ હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે અને વેપારીઓને સારો ધંધો મળે છે. […]
Author: JKJGS
પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, ૩ જિલ્લાના લોકોને મળશે લાભ
કમોસમી વરસાદમાં પશુપાલકો માટે રાહતના સમાચાર હાલ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લાના મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે […]
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત બેઠક યોજાઇ
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી […]
તારીખ ૨૬ મી નવેમ્બર થી ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે
મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે આગામી તા. ૨૬ નવેમ્બર થી તા. ૬ ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક […]
કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને […]
ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી‘ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ
પરિક્રમા રદ છતાં ભવનાથમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા; ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરી સંતોષ માન્યો ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું છે. ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ છે. સાધુ-સંતો, કલેક્ટર, એસપી, મ્યુ. કમિશનર હાજર રહ્યા છે. જેમાં વરસાદમાં જંગલના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. તેમાં અનિચ્છનીય […]
કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી અવસાન
ખેડા જિલ્લાના ડાકોર નજીક મીઠાપુરા ગામમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ ખેડા જિલ્લાના ડાકોર નજીક મીઠાપુરા ગામ ખાતે એક દુ:ખદ ઘટના બની હતી જેમાં, એક કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાઓ થતાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમના બે માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ […]
સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની મોટી જાહેરાત; વર્લ્ડ કપ જીતે તો મહિલા ક્રિકેટર્સને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલ
રાજ્યસભાના સંસદ સભ્ય અને આપના રાજ્યના વિશ્વપ્રખ્યાત ડાયમંડ વેપારી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક મોટી અને પ્રેરણાદાયી જાહેરાત કરવામાં આવી છે. જાે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આગામી વન-ડે વર્લ્ડ કપમાં ફાઇનલમાં જીત હાંસલ કરશે, તો તમામ ખેલાડીઓને નેચરલ ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફટોપ પેનલની ભેટ આપવાની ઘોષણા કરી છે. આ જાહેરાત […]
અભિનેતા પંકજ ત્રિપાઠીની માતા હેમવંતી દેવીનું બિહારના ગોપાલગંજ જિલ્લામાં ૮૯ વર્ષની વયે અવસાન
બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીની માતા હેમવંતી દેવીનું શુક્રવારે બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંડ ખાતે તેમના પૈતૃક નિવાસસ્થાને અવસાન થયું. તેઓ ૮૯ વર્ષના હતા અને કેટલાક સમયથી બીમાર હોવાનું કહેવાય છે. પરિવારના જણાવ્યા મુજબ, તેમણે ઘરે જ અંતિમ શ્વાસ લીધા. પંકજ ત્રિપાઠી તેમના અંતિમ ક્ષણો દરમિયાન તેમની માતા સાથે હાજર હતા. તેમના અંતિમ સંસ્કાર શનિવારે બેલસંડમાં પરિવારના […]
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ મિતાલી રાજનો ઓલટાઇમ વર્લ્ડ કપ રેકોર્ડ તોડ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવાર, ૨ નવેમ્બરના રોજ રમાયેલી વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલ દરમિયાન ભારતની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડ્યો. મંધાના ૨૦૨૫ ના વર્લ્ડ કપમાં મજબૂત ફોર્મમાં છે અને ટુર્નામેન્ટમાં મહિલા ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ફાઇનલમાં પ્રવેશ કરતી વખતે, મંધાનાએ ન્યુઝીલેન્ડ સામે સદી સાથે […]










