ચીને પુષ્ટિ આપી છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ (આજે) ગુરુવારે દક્ષિણ કોરિયામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, જેનાથી એક વ્યાપકપણે અપેક્ષિત મુલાકાત થશે જે પેસિફિક મહાસાગરની બંને બાજુના વેપારીઓ અને રોકાણકારોને આશા છે કે મહિનાઓથી ચાલી રહેલા વેપાર તણાવને ઓછો કરશે. “બંને રાષ્ટ્રના વડાઓ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે,” વિદેશ મંત્રાલયના […]
Author: JKJGS
PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન કેવડીયાના પ્રવાસે છે. કેવડીયા પહેલા તેઓ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ […]
અમદાવાદમાં 83 PSIની આંતરિક બદલી
અમદાવાદ પોલીસ કમિશનરે એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની જુદા જુદા તબક્કામાં બદલીઓ કરી હતી. ત્યાર બાદ હવે શહેરના 83 સબ ઇન્સ્પેક્ટરોની પણ આંતરિક બદલીઓ કરી છે. જ્યારે લીવ રિઝર્વમાં રખાયેલા 18 સબ ઇન્સ્પેક્ટરોને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી અમદાવાદ શહેર પોલીસ […]
સાંસદ-ધારાસભ્યએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને તાત્કાલિક સહાય માટે રજૂઆત કરી
પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે સાંસદ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક સર્વે અને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે. સાંસદે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આશરે ૨૫ ઓક્ટોબર આસપાસ સંસદીય મતવિસ્તારના પંચમહાલ, […]
અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવા ઉમિયા પરિવારની માગ, ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી
ગાંધીનગર શહેરી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉમિયા પરિવાર દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને અસામાજિક તત્વોએ ફાડી નાંખતા ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં ઉમિયા પરિવારના આગેવાનો અને તમામ સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં તાત્કાલિક ધોરણે અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવા ઉમિયા […]
સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત
સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં હતી મિલ સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત […]
મહેસાણા કમોસમી વરસાદના કારણે કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકને નુકસાન
શિયાળાની શરૂઆતની સાથે જ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાછું ફર્યું છે.અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 83% વિસ્તારને વરસાદે ચપેટમાં લીધો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.ખાસ કરીને ખરીફ પાકોને. મગફળી, જુવાર, સોયાબિન, કપાસ સહિતના પાકને નુકસાન ઉત્તર ગુજરાતમાં રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધીના 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી […]
સુખી ડેમ છલકાયો, ભારજ નદીમાં પાણી છોડાયું – નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરાયા
છોટા ઉદેપુર જિલ્લાનો સુખી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાંથી 2131.20 ક્યુસેક્સ પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. પાવીજેતપુર તાલુકામાં આવેલો સુખી ડેમ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ ડેમ દ્વારા લગભગ 20 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી […]
પાળીયાદ રોડ પર અલમપુર-ઉમરાળા વચ્ચે ટેમ્પો રીક્ષા-કાર વચ્ચે અકસ્માત
રાણપુર તાલુકાના પાળીયાદ રોડ પર આવેલ અલમપુર-ઉમરાળા વચ્ચે ટેમ્પો રીક્ષા અને ફોરવીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાણપુર-પાળીયાદ રોડ પર આવેલ અલમપુર-ઉમરાળા વચ્ચે છકડો ટેમ્પો અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જતા ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા અને થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ […]
પંચમહાલ પોલીસ દ્વારા ‘રન ફોર યુનિટી’નું આયોજન
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ 31 ઓક્ટોબર, 2025ના રોજ શુક્રવારે સવારે 09:30 કલાકે ગોધરાના વિશ્વકર્મા ચોક ખાતેથી શરૂ થશે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશને પ્રસારિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય […]










