Gujarat

દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ

જામનગર પોલીસની ટીમ અસામાજિક તત્વો પર પુરજાેશમાં તવાઈ બોલાવી છે, જેમાં શહેર અને જિલ્લામાં દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને સુરતની લાજપોર જેલમાં ધકેલા દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘીણકી ગામનો વતની ડુંગરભા […]

Gujarat

ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જાેવા મળ્યો કરંટ; તંત્ર દ્વારા ઓખા બંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો છે. ભારે પવન સાથે દરિયામાં ઉંચા મોજા ઉછાળ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયમાં કરંટ જાેવા મળ્યો છે. દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછાળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપવમાં આવી છે.ઓખાબંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. […]

Gujarat

ઉનામાં આંગણવાડીના બાળકોના જીવ સાથે ચેડાં; દિવાલોમાં સેવાળ ઊગી નિકળી

ઉના તાલુકાની ભાચા ગામની ૩ નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે.આંગણવાડીમાં છત પરથી પોપડા ખર્યાછે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે.આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના […]

Gujarat

તરણેતર ના મેળા માં આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન

ગુજરાતનાં સુપ્રસિદ્ધ તરણેતર ના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં હોય છે.ત્યારે આ મેળામાં કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મેળાના સ્થળ પર આરોગ્ય સેવાઓનું એક અભૂતપૂર્વ માળખું ગોઠવવામાં આવ્યું છે. આ માળખામાં માત્ર તાત્કાલિક સારવાર જ નહીં, પરંતુ […]

Gujarat

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું આયોજકોએ આગમન યાત્રા માં રાખેલી બેદકારી ગણેશ ભક્તો માટે વિઘ્નકર્તા સાબિત

શહેરના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. ભૂતકાળમાં આ ગણેશ આયોજકોએ પણ બેદરકારી દાખવી હતી જેના કારણે લાઇટિંગ માટે મુકાયેલું ટાવર તૂટી પડ્યું હતું. પરંતુ રાજકીય પીઠબળના કારણે ગણેશ આયોજકો મોટી ભીડ ભેગી કરે છે પરંતુ સલામતીના નિમયોનો ઉલળીયો કરે છે તેથી લોકો માટે […]

Gujarat

વડોદરામાં રજીસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાવી જાહેરનામાનો ભંગ કરનારનું રૂ.૧ લાખની કિંમતનું ડ્રોન પોલીસે કબ્જે કર્યું

અસામાજિક તત્વો શહેરમાં કોઇપણ પ્રકારનું કૃત્ય થાય નહીં તેના પર ચાંપતી નજર રાખવામાં આવે છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે શ્રીજીની આગમન યાત્રામાં રજીસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાવી શ્રીજીની યાત્રાનું તથા સરકારી કચેરી વિસ્તારમાં રેકોર્ડિંગ કરતા જાહેરનામા ભંગ બદલ રાવપુરા પોલીસે ડ્રોન સંચાલકની અટકાયત કરી રૂ.૧ લાખની કિંમતનું ડ્રોન કબ્જે કર્યું હતું. શનિવારે મોડીરાત સુધી ઠેર […]

Gujarat

ભરૂચ પોલીસે પ્રતિબંધિતઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારીને પકડી પડ્યા, ૩ ફરાર

ભરૂચ એસઓજી પોલીસ ટીમનો અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પડ્યા યુવાધનમાં નશો કરવાની ખરાબ આદતો પર કડક કાર્યવાહી કરવાના ઉદેશથી ભરૂચ પોલીસ એકશનમાં. ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેઝી બાઈટ નામની દુકાનમાં રૈયાન પટેલ તથા સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતો ઇમરાન આદમ પટેલ પોતાના ઘરે ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ એસઓજી પોલીસ ટીમને મળી […]

National

તેલંગાણાના હૈદરાબાદમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી છ લોકોના મોત, એક્સ-ગ્રેશિયાની જાહેરાત

તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં રામનાથપુર વિસ્તારમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન ધાર્મિક શોકયાત્રા દરમિયાન છ લોકો વીજળીનો કરંટ લાગતા એક દુ:ખદ ઘટના બની. રવિવારે મધ્યરાત્રિના સુમારે ગોકુલે નગરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથેનો રથ શોકયાત્રામાં કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ કૃષ્ણ ઉર્ફે ડાયમંડ યાદવ (૨૧), શ્રીકાંત રેડ્ડી (૩૫), સુરેશ યાદવ (૩૪), […]

National

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ‘ગેરકાયદેસર‘ સટ્ટાબાજી કેસમાં ધરપકડ: ED

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની શનિવારે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી રેકેટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં ૩૧ સ્થળોએ બે દિવસના સર્ચ ઓપરેશન બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં દુબઈથી કામગીરી અને અનેક કેસિનો સાથે જાેડાણ સહિત એક મોટું સટ્ટાબાજી નેટવર્ક ખુલ્યું હતું. ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ કરાયેલા […]

National

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ થરાલી આપત્તિ પીડિતો અને પરિવારો માટે ૫ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી જિલ્લાના થરાલીમાં તાજેતરમાં થયેલી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને જેમના ઘરો નાશ પામ્યા હતા તેમના માટે પ્રત્યેકને ૫ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો કે રાજ્ય સરકાર ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરશે. થરાલીમાં ભારે વરસાદને કારણે થયેલી આપત્તિ પછી શનિવારે રાત્રે સ્ટેટ […]