ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરડીયા ગામમાં સિંહોના આંટાફેરા જોવા મળ્યા છે. મોરડીયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર બે ડાલામથ્થા (યુવાન સિંહ) દેખાયા હતા. આ સિંહો રોડ પર આવી ચડતા સ્થાનિક લોકોએ તેમના વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા માં વાઈરલ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ […]
Gujarat
મેથાણ અને કટુડા ગામના મંદિરોમાંથી ચોરી કરનાર શખ્સ 54 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે પ્રવિણભાઇ અમરશીભાઇ થરેશા નામના શખ્સને 54,453 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથાપેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા […]
ધરમપુર ગામે થશે તાલુકા કક્ષાનો કાર્યક્રમ, નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ચોટીલા તાલુકાના ધરમપુર (ચોબારી) ગામે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કાર્યક્રમની સફળ આયોજન માટે વિવિધ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી. મામલતદાર ચોટીલાને મંડપ, સ્ટેજ અને આમંત્રણ પત્રિકાની કામગીરી સોંપાઈ. નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) […]
ગુજરાતમાં આવેલું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ : એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ
વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રીએ અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી શ્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન […]
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ
ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી […]
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી; સદનસીબે કોઈ જાનહાની નથી થવા પામી
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક પોળમાં વધુ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ શહેરમાં આવેલા હજારો ભયજનક અને જર્જરિત મકાનોના મુદ્દાને ઉજાગર કર્યો છે. શહેરના અનેક જૂના વિસ્તારો, ખાસ કરીને પોળમાં આવેલા મકાનોની હાલત અત્યંત દયનીય […]
યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેન્ગના ૪ લોકોને ગુજરાત એટીએસે ઝડપી પડ્યા
ગુજરાત ATSની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં, બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ATSએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. એટીએસના અધિકારીઓ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ […]
ગાંધીનગર ખાતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષયક વર્કશોપ યોજાયો
મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ […]
ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આહ્વાન થયું છે. જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ […]