ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા ત્યાં ડિસેમ્બરમાં એક સાથે બે માવઠાં પડવાની આગાહી કરાઈ છે. ગઈકાલે એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં પાલનપુરમાં કેટલાક ભાગોમાં ધીમીધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતાં થયા હતાં. આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર […]
Gujarat
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન કાર્યવાહી
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને […]
ગાંધીનગરવાસીઓને વીકએન્ડમાં ‘જલસો’ પડી જશે
ગાંધીનગરના નાગરિકોનો વીકએન્ડ યાદગાર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ‘ફ્રી એન્ટ્રી’ કાર્યક્રમ શહેરના આઇકોનિક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સાંજે 7 કલાકે શરૂ થશે, જેમાં દરેક વયજૂથના લોકો માટે મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ મ્યુઝિક સહિત વિવિધ ગેમ્સનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન […]
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, પંચેશ્વરથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.157 કરોડ ખર્ચાશે
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે નવીન આયોજનો હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.157 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે. પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડ ડેવલપમેન્ટની […]
15મા નાણાપંચના બીજા હપ્તામાં 741.90 કરોડની ફાળવણી
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વેગવન્તો બનાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓને બીજા હપ્તા તરીકે રૂ. 741.90 કરોડની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ રકમ દ્વારા સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો […]
વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્વિક હબ હોવાની યુ.એન. સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ કન્વેન્શને પુષ્ટિ કરી
ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત […]
સુપ્રસિધ્ધ બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદીર નો નવમો પાટોત્સવ ઉજવાયો
અન્નકૂટ અને મહાઆરતી નું સુંદર આયોજન કરાયું કવિવર બોટાદકર ની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જાયન્ટસ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે. આ મુક્તિધામ પરિસર માં સુંદર મંદિર માં જગત જનની મેલડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે.અહીં ગુજરાત […]
દહેગામના કનીપુરના રહેણાંક મકાનના તાળા તોડી રૂ.4.44 લાખની મત્તા ચોરી પલાયન
દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાનને બનાવી તાળા તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.4 લાખ 44 હજારથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના કનીપુર ગામ સ્વામીનારાયણ ખડકીમાં પરિવાર સાથે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલો કાન્તિ પટેલ મીરાપુર ગામની […]
રાજુલામાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીથી રાજુલા તાલુકાના ખેડૂતોને પ્રતિ મણ ₹1612 નો ભાવ મળશે, જે તેમને કપાસના યોગ્ય ભાવ મેળવવામાં મદદરૂપ થશે. થોડા સમય અગાઉ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને એક પ્રતિનિધિમંડળે ગુજરાતના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ CCI દ્વારા કપાસની ખરીદી […]
શહેરા બસસ્ટેશનમાં અકસ્માત સર્જાયો – પાર્ક કરેલી ST બસ ગિયરમાંથી સરકતા દિવાલ સાથે અથડાઈ
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી એક બસ ગિયરમાંથી સરકી જતાં દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સ્ટેશનમાં પાર્ક કરાયેલી બસ અચાનક ગબડી હતી. તે બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસેની દિવાલ તોડીને જાહેર ખબરના થાંભલા સાથે અથડાઈને થંભી ગઈ હતી. જો બસ […]










