સાયબર ગુનાઓ સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ‘ અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન હેલ્પલાઇન ૧૯૩૦, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જાગૃતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરાઈ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડ્ઢય્ઁ) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર […]
India
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : અમદાવાદમાં માત્ર ૩.૫ કલાકમાં ૩૪ મીટર લાંબા અને ૧૩૬૦ ટન વજનના પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મણિનગર ખાતે અમદાવાદ–વડોદરા રેલવે લાઇન ઉપર આશરે ૧૩૬૦ મેટ્રિક ટન વજનનું સૌથી ભારે પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ બીમ એક પ્રીકાસ્ટ કોંક્રિટ રચના છે, જેની લંબાઈ ૩૪ મીટર છે અને તેનું ક્રોસ-સેક્શન ૫.૫ મીટર ટ ૪.૫ મીટર છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક આવા કુલ […]
મુસાફરોને મોટો લાભ મળશે :છઝ્ર કોચમાં રૂ.૪૦૦, સ્લીપરમાં રૂ.૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થયો
રેલવેએ અસારવા–આગ્રા કેન્ટ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન હવે રેગ્યુલર ટ્રેન તરીકે દોડશે. હાલ સુધી ટ્રેન નં.૦૧૯૧૯/૦૧૯૨૦ તરીકે દોડતી ટ્રેન હવે નવા નંબર ૨૦૧૭૭/૨૦૧૭૮ સાથે સુપરફાસ્ટ તરીકે દોડાવાશે. ૯ એપ્રિલથી આ ટ્રેન રેગ્યુલર થતાં એસી કોચમાં રૂ.૧૫૦થી ૪૦૦ અને સ્લીપરમાં રૂ.૫૦થી ૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થશે. સ્પેશિયલ ટ્રેનમાં ૧૦થી ૩૦ ટકા વધુ ભાડું વસૂલાતું હતું. બપોરે […]
NHL મેડિકલ કોલેજમાં રેસિડન્ટ ડોક્ટર માટે શિફ્ટ સિસ્ટમ, સારવાર પર અસર નહીં પડે
મ્યુનિ. સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટરો માટે ડ્યુટીના કલાકો નક્કી કરાયા છે. હવે કોઈ પણ રેસિડન્ટ ડોક્ટર પાસેથી સતત ૧૨ કલાકથી વધુ ડ્યુટી લેવામાં નહીં આવે, તેમજ સપ્તાહમાં કુલ ૪૮ કલાકથી વધુ કામ પણ નહીં લેવાય. લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરો તરફથી વધતા કાર્યભાર અને માનસિક દબાણ અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કોલેજ […]
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા પનીર અંગેનું બોર્ડ ન લગાવતા ભૈરવનાથ પંજાબી તડકા સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. છસ્ઝ્ર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ […]
કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની SOP બનશે
શહેરના ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી. આ અંગે બજરંગ ટી સ્ટોલના માલિકને ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી […]
હાઈકોર્ટે બે આરોપીઓની આજીવન કારાવાસની સજા રદ્દ કરી
વર્ષ ૨૦૧૩માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં […]
અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિરમાં દાન કર્યું – 30 કરોડના ખર્ચે ભક્તો માટે આધુનિક સુવિધાવાળું ભવનનું નિર્માણ કરાશે
અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક છે. દેવસ્થાન સમિતિના વહીવટીદાર હિમાંશુ ચૌહાણે અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારના આ સેવાકાર્ય […]
નવસારીમાં બે અલગ-અલગ આત્મહત્યાના બનાવો
નવસારી જિલ્લામાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કબીલપોર વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડાથી કંટાળી એક 39 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે વિજલપોરમાં લાંબી બીમારી અને એકલવાયા જીવનથી ત્રસ્ત 51 વર્ષીય આધેડે પણ આપઘાત કર્યો હતો. કબીલપોર વિસ્તારમાં વંદના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પંકજ વિરેન્દ્ર ઓઝા નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી […]
કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં […]










