*અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ*
અબડાસા:1
*પોલીસ પ્રજા નો મીત્ર છે* તે કહાવત ને સાર્થક કરતા કોઠારા પોલીસ ના ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ
અબડાસા તાલુકા ના કોઠારા પોલીસ સ્ટેશન માં ઓનડયુટી પર રહી ને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ એ ચાર દીવસ અગાઉ પેટ્રોલિંગ દરમિયાન વરાડીયા ના 60 શ્રમજીવીઓ ને હાલહવાલ પુછા કરી ને તાત્કાલિક ધોરણે બે દીવસ નો જમવાનું બંદોબસ્ત કરી આપ્યો હતો
તે પછી લોકડાઉન ની પરીસ્થિતી સમજી ને ઉચ્ચ ઉચ્ચ સ્તરે રજુઆતો કરી આખા મહીના નો રાશનકીટ નો બંદોબસ્ત વિંઝાણ સૈયદ સલીમબાપુ તરફથી કરી આપવામાં આવ્યો હતો
આ વાત વાયુવેગ સોસીયલ મિડીયા પર ફેલાતા આજે હાજાપર ગામે પોલીસ રાઉન્ડ માટે નીકળી હતી ત્યારે સાહેબ ની ગાડી ને રસ્તા પર રોકી ને એક ગરીબ જરૂરતમંદ પરીવાર એ જાડેજા સાહેબ ને રજુઆત કરી કે સાહેબ અમો પાંચ પરીવાર છીએ અને અમારા પાસે રાશન ન નો બંદોબસ્ત નથી ત્યારે શ્રી જાડેજા સાહેબ એ તાત્કાલિક ધોરણે આ વિસ્તાર ના સેવાભાવી સૈયદ સલીમબાપુ અને ખીરસરા(વિંઝાણ) સરપંચ ને જાણ કરતા તેઓ એ જણાવ્યું હતું કે સાહેબ અમો હાલ માં નાનાવાડા ગામ માં જરુરત મંદ પરીવાર માટે રાશનકીટો લઈ નિકડયા જ છીએ પણ અમો ત્યાં પછી પહોંચાડી દેશું આપ સાહેબ ત્યાં જ રહો અમે આવીએ છીએ અને તાત્કાલિક ધોરણે તેઓ આવીને કોઠારા પોલીસ ના સબ ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ ના વરદ હસ્તે તમામ જરૂરતમંદ પરીવારો ને એક મહીના નું રાશન અર્પણ કરવામાં આવ્યો હતો
આ બાબતે સૈયદ સલીમબાપુ એ જણાવ્યું હતું કે આપ સાહેબ સતત પેટ્રોલીંગ કરી રહ્યા છો અને કયાં પણ કોઈ ગામ માં જરુરત હોય તો આપ સાહેબ અમને જાણ કરજો જેથી અમો આ નેક કામ વધુ જરૂરતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકીએ
આજ ના દીવસ સુધી માં કુલ બસોપાંત્રીસ પરીવારો ને એક એક મહીના નું રાશન અર્પણ કરવામાં આવ્યો છે અને હજી પણ કયાં પણ આજુબાજુના વિસ્તારમાં જરુર હોય તો આપ જણાવ જો તેવી ખુલા દીલ એ અપિલ કરી હતી
તેમ અશરફ હિંગોરા એ જણાવ્યું હતું રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા નખત્રાણા