*રાજકોટ શહેર રામનાથપરા મુક્તિધામ ખાતે બીજો ગેઈટ આજથી ખોલવામાં આવેલ છે. આ ગેઈટથી Non-Covid/Non-Suspect બોડી અંતિમ સંસ્કાર માટે મુક્તિધામમાં લઈ જવામાં આવશે.*
*રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા શેરીનં.૧૮, શ્રી.મદ રાજચંદ્રજી સમાધિ સ્થાનવાળી શેરી ખાતે અગાઉ બંધ રહેતો મુક્તિધામનો ગેઈટ આજથી શરૂ કરવામાં આવેલ છે. સિવિલ વર્ક તથા અંતિમ વિસામાનો ઓટો પણ ગેઈટ પાસે તૈયારી કરી આપવામાં આવેલ છે. અને આજથી Non-Covid/Non-Suspect બોડી આ બીજા ગેઈટથી લાવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત રામનાથપરા મુક્તિધામના મુખ્ય ગેઈટથી હવે Covid/Covid Suspect બોડી સીધી ઈલેક્ટ્રીક સ્મશાન ખાતે લઈ જઈ શકાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


