જામજોધપુર લોહાણા મહાજનવંડી ખાતે કીટ વિતરણ સેવાયજ્ઞ ની મુલાકાતે જામજોધપુર ના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા
હાલ વિશ્વભરમાં કોરોના વાયરલ ફેલાય ગયો છે ત્યારે વિશ્વની આ મહામારી સામે લડવા તમામ દેશો કમરકસી રહયા છે ત્યારે ભારત સરકારે પણ કોરોના મહામારી સામે લડવા લોકડાઉન જાહેર કરેલ છે આ લોકડાઉન ને કારણે જરૂરિયાતમંદ પરિવારોને પરિસ્થિતિ કપરી બની ગઈ હોય જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ થઈ ગયું હોય તેવા પરિવારોની વહારે જામજોધપુર રઘુવંશી યુવક મંડળના પ્રમુખ મુનભાઈ ચોંટાઈ દવારા જૈન સોશિયલ ગ્રુપ ના પ્રમુખ હિમાંશુભાઈ મહેતા ની રાહબરી હેઠળ જીવનજરૂરી વસ્તુની કીટ વિતરણ નો સેવાયજ્ઞ લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી લોહાણા મહાજનવંડી ખાતે ચાલુ કરેલ છે જેમાં જામજોધપુર શહેર તેમજ તાલુકાના જરૂરિયાતમંદ પરિવારોને આ કીટ પહોંચાડવામાં આવે છે તેમજ શહેર માં વોર્ડ વાઇસ સર્વે કરી દરેક જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરિયાતમંદ પરિવારોને અને દરેક જ્ઞાતિ ના લોકોને આ કીટ આગેવાનોના માધ્યમથી પહોંચાડવામાં આવે છે આવા સેવાયજ્ઞની મુલાકાતે ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા પધારેલ અને આ કીટ વિતરણ સેવાયજ્ઞ ના તમામ આગેવાનો ,કાર્યકરો ને બિરદાવી પોતોના દવારા પણ યોગદાન આપી આ સેવાયજ્ઞ ને લગત કોઈપણ કામકાજ હોય તો વિના સંકોચે જણાવવા કહેલ
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર