Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા પગલાં

જિલ્લા માહિતી કચેરી અમરેલી
અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા પગલાં

તા. ૭ એપ્રિલ, અમરેલી

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.
અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૬૨ વાહનોના કુલ-૧૯૮ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ. જેમાથી કુલ-૪૧ વ્‍યકિતઓ રાજયબહારના હતા. આ તમામનું સ્‍ક્રીનીંગ કરતા કોઇ૫ણ વ્‍યકિતને તાવ શરદી ઉધરસ ની ફરીયાદ જોવા મળેલ ન હતી.
જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટી મા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે આ કાર્યરત તમામ ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ- ૫૪૩ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.
આજદિન સુધી જાહેર સ્‍થળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને જિલ્‍લાઓના કુલ-૫૫૪ ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૩૭૬ જગ્‍યાઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ કુલ-૭૫૦૦૦ ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે અને કુલ-૧૧ તાલુકાની સ્‍થાનિક ન્‍યુઝ ચેનલોમા પણ કોરોના રોગ અટકાયતી સ્‍ક્રોલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.
અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્‍વારા ઘરે ઘરે ફરી ને કુલ-૧૭૧૧૬૨૫ નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે. ત્‍યારબાદ તા.ર૭-૩-૨૦૨૦ થી તમામ જગ્‍યાએ રિ-સર્વેની કામગીરી હાથ ધરવામા આવેલ છે. જેમા આજરોજ કુલ-૨૬૧૩૧૮ ઘરોના કુલ-૧૨૦૮૫૬ વ્‍યકિતઓની પુનઃ તપાસ કરતા તેમાથી તાવ શરદી ઉધરસવાળા કુલ-૮૦ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.
અત્‍યાર સુધીમા હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્‍યાન તાવ, શરદી ઉધરસ તથા શ્‍વાસની બિમારીવાળા દર્દીઓને માન.શ્રી કલેકટર સા. ની સૂચનાઅનુસાર ફિઝીશ્‍યન ડોકટરશ્રી ધ્‍વારા તપાસ તેમજ સારવાર ચાલુ કરવામા આવેલ છે.
અમરેલી જિલ્‍લામા જિલ્‍લા તથા રાજય બહાર તેમજ વિદેશથી આવેલ કુલ-૧૦૮૩ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ છે જે પૈકી કુલ-૧૫ વ્‍યકિત જિલ્‍લાની કોરન્‍ટાઇન ફેસીલીટીમા દાખલ છે.
આજરોજ અમરેલી જિલ્‍લાની વિવિધ કુલ-૧૮૬ કચેરીઓમા સેનીટાઇઝેશનની કામગીરી કરવામા આવી.
નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે અમરેલી જિલ્‍લા મા અન્‍યાર સુધીમા કુલ-૪૬૮ કેસ કરીને રુ.૧૦૦૭૦૦ નો દંડ વસુલવામાં આવેલ છે.
આજરોજ ભાવનગર ખાતે અમરેલી જિલ્‍લાના એક પેશન્‍ટ નુ સેમ્‍પલ લેવામા આવેલ જે નેગેટીવ આવેલ છે.
કોવિડ-૧૯ અંતર્ગત અમરેલી ખાતેની રાધિકા જનરલ હોસ્‍પીટલ (ગોળ હોસ્‍પીટલ) ખાતે માન.શ્રી કલેકટર સા. ઘ્‍વારા રીકવીઝીટ કરી ૧૦૦ બેડ ની હેલ્‍થ કેર ક્ષમતા સાથેની વ્‍યવસ્‍થા ઉભી કરવામા આવી રહી છે.
રકતદાન કરી, જીંદગી બચાવો – સરકારશ્રીનાં ર૧- દિવસના લોકડાઉન ના સમયમાં ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિત ની અમરેલી જિલ્‍લાની બ્‍લડ બેન્‍કોમાં બ્‍લડ ડોનેશન માટે દાતાઓ ન આવતા બ્‍લડ ની ઉણપ ન સર્જાય તે માટે રકતદાન કરવા ઇચ્‍છુક દાતાને અમરેલી જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *