Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, સરકારશ્રી દ્વારા છૂટછાટ આપ્યા સિવાયની દુકાનો ઉપર જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી

જૂનાગઢ પોલીસ દ્વારા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, સરકારશ્રી દ્વારા છૂટછાટ આપ્યા સિવાયની દુકાનો ઉપર જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, _હાલમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ હોઈ*પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોઈ, જેને જાળવી રાખવા* માટે તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, સરકારશ્રી દ્વારા છૂટછાટ આપ્યા સિવાયની દુકાનો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોમ્પ્લેક્સ, મોલ, ચા પાણી, નાસ્તા, બુટ ચપ્પલ, મોચી, પાન બીડી, વિગેરે પૈકી ઘણી દુકાનો પણ ખોલવામાં પ્રયત્ન કરવામાં આવેલા હોઈ, *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પરબતભાઇ, ભગતસિંહ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, સહિતની ટીમ દ્વારા *એસ.ટી. રોડ ઉપર આવેલ પગરખાની દુકાન (1) સનમુન ફૂટવેર ખોલી વેપાર કરતા, રમેશ રેવાચંદ ગજેરા જાતે ભાનુશાળી ઉવ. 54 રહે. દીપાલી પાર્ક, ઝાંઝરડા રોડ, જૂનાગઢ તથા (2) લંડન શૂઝ ખોલી વેપાર કરતા વેપારી અશોકભાઈ લખાનોમલ વધવા જાતે સિંધી ઉવ. 65 રહે. બંસીધર સોસાયટી, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી .

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવતા *જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે સરકાર શ્રી દ્વારા મુક્તિ આપવામાં આવેલ દુકાનો સિવાયના વેપારીઓએ હવે દુકાનો નહીં ખોલવા તકેદારી રાખવા પોલીસની એક યાદીમાં* જણાવવામાં આવેલ છે……_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200426-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *