Uncategorized

જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા*ડ્રોન કેમેરાથી નજર રાખી જે શાકમાર્કેટ સીફ્ટ કરવામાં આવી છે તેમ સોસીયલ ડિસ્ટન્સ ન જળવનાર વેપારીઓ તેમજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા*ડ્રોન કેમેરાથી નજર રાખી જે શાકમાર્કેટ સીફ્ટ કરવામાં આવી છે તેમ સોસીયલ ડિસ્ટન્સ ન જળવનાર વેપારીઓ તેમજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,ડ્રોન કેમેરા આધારે જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી, કેસો કરાવવાનું ચાલુ કરવામાં આવેલ હોય લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *વેપારીઓ તથા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી, વેપારીઓ અને લોકોની ચિંતા* કરી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ* કરવામાં આવતા _બંને *શાકભાજી માર્કેટ ખાતે પોલીસ તથા કોર્પોરેશનના પ્રયાસોથી વ્યવસ્થા ગોઠવતા, ભીડ ઉપર કાબુ મેળવી, સોશિયલ ડિસ્ટન્સ રાખવા સફળ* થયેલ છે

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઇ,, હે.કો. ભગવાનજી, મેહુલભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારી ડોડીયા તથા સ્ટાફ સાથે સંકલન કરી, તમામ શાકભાજીની લારી વાળાની મિટિંગ કરી, કડીયાવાડ ની શાક માર્કેટ જે દાતાર રોડ ઉપર શિફ્ટ કરી હતી, તેને વિવેકાનન્દ સ્કૂલના ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને લારીઓ લારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવી, શાકભાજીના વેપારીઓને પણ શાકભાજી લેવા આવતા ગ્રાહકો વચ્ચે જગ્યા રાખવા સુચનાઓ કરી, સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેના લીધે પહેલા કરતા ઘણા દૂર રાખી, *સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવાના પ્રયત્નો* કરવામાં આવેલ છે. આજ રીતે મધુરમ ખાતે આવેલ શાક માર્કેટ પણ ભરાડ સ્કૂલમાં શિફ્ટ કરી, વ્યવસ્થા ગોઠવવામાં આવતા, *શાકભાજીના વેપારીઓ તથા ગ્રાહકોમાં સલામતીની લાગણી* જન્મેલ છે. ઉપરાંત, લારીઓમાં સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, *સોશિયલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી* પણ કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ શહેરના જોશીપુરા, નંદનવન અને ઝાંઝરડા રોડ ઉપરની શાક માર્કેટ પણ શિફ્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે, તેવું એક યાદીમાં જણાવવામાં આવેલ છે….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200430-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *