Uncategorized

બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, કલેક્ટર વિજય ખરાડી

બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ,
કલેક્ટર વિજય ખરાડી

કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવરજવરને ટાળવા માટે કલેક્ટર વિજય ખરાડીએ આજે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી ફોર વ્હિલર્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, બાઇક ઉપર પણ માત્ર ચાલક પોતે જ સવારી કરી શકશે.
આજે રેન્જ ડીઆઇજી એમ. એસ. ભરાડાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ડીએસપી હિતેશ જોયસર સાથે મિટિંગ કરી હતી. જેમાં એવી વિગતો રજૂ થઇ હતી કે લોકડાઉનના ભંગ બદલ ૨૨૦ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ૩૫૦ જેટલા વ્યક્તિઓની આ સબબમાં અટક કરવામાં આવી હતી. ૩૫૦થી પણ વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તે બાદ કલેક્ટર વિજય ખરાડી સાથે લોકડાઉનને વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તત્પશ્ચાત ઉક્ત રીતે ખાનગી વાહનોના પરિભ્રમણને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હિર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન પણ ચલાવી શકાશે નહી. તેને લઇને બહાર નીકળી શકાશે નહી. જ્યારે, દ્વિચર્કી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકાશે. એટલે કે, દ્વિચક્રી વાહનની ચાલક પોતાની પાછળ કોઇ સવારીને બેસાડી શકશે નહી. સરકારી ફરજ ઉપર રહેલા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

IMG-20200401-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *